ટ્રેકટર નો અકસ્માત થયા ચાર લોકો ના કરુણ મોત થયા , કુલ 19 લોકો..
હાલમાં અકસ્તમાતનાં બનાવ અનેકવાર બને છે, ત્યારે હાલમાં જ એક ખૂબ જ કરુણ ઘટના બની જેના થકી સમગ્ર પંથકમાં દુઃખની લાગણીઓ છવાઈ ગઈ હતી. વાત જાણે એમ છે કે, ઝાબુઆ નાં રાયપુરના થાના વિસ્તારમાં ગઈકાલે બપોરે ટ્રેકટર પલટી ખાઈ જતા તેમાં 4 લોકોનું મુત્યુ થયું અને 19 લોકો ગંભીર રીતે ઘાયલ થયેલ છે.ઘાયલ લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, આ 23 લોકો અસ્થી વિસજર્ન કરવા માટે જઇ રહ્યા હતા અને આજ દરમિયાન અચનાક ટ્રેકટરનું ટાયર ફાટતા આ ગંભીર અકસ્તમાત સર્જાયો હતો. ખરેખર આ ઘટના થી અનેક લોકોના જીવ ગયા છે, જેમાં 4 લોકોનું તો મુત્યુ નીપજ્યું છે. જ્યારે અન્ય 19 લોકોને સારવાર માટે દાખલ કરવામાં આવેલ.
આ ઘટના ખૂબ જ દુઃખ દાયક છે.તમામ મુસાફરોનાં પરિવારજનોમાં શોકની લાગણીઓ છવાઈ ગયેલ છે. આ ઘટના ની તપાસ કરતા પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રવિવારે 10 વાગ્યે ધટુરિયા ગામ બાજુ અચનાક ટાયર ફાટી જતા ચાલક કાબુ ગુમાવ્યો અને અસુલિત થતા ટેક્ટર ની ટ્રોલી પલટી ખાઈ ગઈ.આ ઘટના ની જાણ થતાં જ 108 સારવાર અર્થ પોહચી ગયેલ.
આ ઘટનાની જાણ થતાં જ ત્યાંના વિધાયક વાલસિંહ મેળાહોસ્પિટલની મુલાકાત લઈને તમામ લોકોને મળ્યા અને તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી. ખાસ કરીને મૃતકોના પરિવાર જનોને રૂ.10 લાખની સહાય તેમજ ગંભીર રીતે ઘાયલ થયેલ વ્યક્તિઓને રૂ.2 લાખની સહાય જાહેર કરવામાં આવી. આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ જે ઘાયલ લોકો જલ્દી સ્વસ્થ થાય તેમજ મૃતકો ની આત્મને શાંતિ અર્પે એજ પ્રાર્થના.