Entertainment

યે રિશ્તા ક્યાં કહેલાતનાં અભિનેતા નૈતિક તેની પત્ની એવી મારી કે માથામાં ટાંકા લેવા પડ્યાં. કરન થઈ જેલ..

લગ્ન જીવનમાં અણબનાવ તો બનતા જ હોય છે અને આમ પણ સામાન્ય વ્યક્તિ થી લઈને ફિલ્મજગત અને ટીવીજગતામાં થી લઈને ઉધોગપતિઓ અને રાજનેતાઓ જીવનમાં લગ્ન સંબંધી સમસ્યાઓ સર્જાય છે. હાલમાં જ ટીવી સિરિયલનાં લોકપ્રિય અભિનેતા કરણ મહેરા પર ઘરેલુ હિંસાનો આરોપ બદલ તેને જેલમાં નાખવા આવ્યો છે, સોશિયલ મીડિયામાં તેની પત્ની ફોટો વાયરલ થયો છે જેમાં નિશાને એવી રીતે મારી છે કે તેના ચહેરા પરથી લોહી વહી રહ્યું છે.

કાલે જ આ ઘટના બની છે અને સોશિયલ મીડિયના બહુ વાયરલ થઈ હતી વાત જાણે એમ છે કે,નિશાએ પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે કરન મેહરાએ સોમવાર, 31 મેના રોજ પહેલા તેની સાથે ઝઘડો કર્યો હતો અને પછી મારપીટ કરી હતી અને તેને માથામાં ટાંકા લેવા પડ્યા એટલો માર માર્યો. એક્ટર કરન મેહરાની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે.કરન મેહરા પર કલમ 336, 337, 332, 504, 506 હેઠળ કેસ કરવામાં આવ્યો છે. કરન મેહરાની ધરપકડ બાદ તેને જામીન પર છોડી મૂકવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ કરન તથા નિશાના લગ્નજીવનમાં તિરાડ પડી હોવાની ચર્ચા થતી હતી. જોકે એ સમયે કરને આ તમામ સમાચારોને ખોટા ગણાવ્યા હતા. કરન મહેરા યે રિશ્તા ક્યાં કહેલાત સિરિયલમાં નૈતિક નું પાત્ર 7 વર્ષ સુધી કર્યું અને ઘર ઘરના લોકપ્રિય થયો હતો અને આ બનાવનાં લીધે સૌ કોઈ ચોંકી ગયા છે. ફિલ્મજગત થી લઈને ટીવીજગતમાં સૌ અભિનેતા અને અભિનેત્રીઓ ચોકી ગયા કે આખરે વિશ્વાસ નથી આવતો કે કરણ આવી રીતે નિશાને મારી શકે છે.

સામન્ય પરિવારમાં આવી ઘટના બનતી હોય પરંતુ આવું જો સેલિબ્રેટી કરે ત્યારે ખૂબ જ શરમજનક કહેવાય. આ પહેલા  અનેક અભિનેત્રીઓ આવા શિકાર બનેલી છે.કરન તથા નિશાએ છ વર્ષના ડેટિંગ બાદ 2012માં લગ્ન કર્યાં હતાં. બંનેની મુલાકાત ટીવી સિરિયલ ‘હંસતે હંસતે’ના સેટ પર થઈ હતી. બંને 2017માં દીકરાના પેરન્ટ્સ બન્યા હતા. જ્યારે કરન મેહરા ‘બિગ બોસ’માં ગયો ત્યારે નિશા પ્રેગ્નન્ટ હતી બને વચ્ચે ખૂબ પ્રેમ હતો પરંતુ અચાનક આ બધુ બનતા સૌ કોઈ ચોંકી ગયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!