Gujarat

પરીવારજનો એ સવારે અંતીમ સંસ્કાર કર્યા અને રાત્રે તેજ વ્યક્તી ઘરે આવ્યો ને કીધું “હુ જીવતો છુ.”

અવાર નવાર એવી ઘટના ઓ બનતી હોય છે કે કોઈ મૃતદેહ સ્મશાને જીવીત થયો હોત અથવા એક વાર જીવ ગયો હોય અને જીવ પર પણ આવ્યો હોય. અને કોરોના કાળ મા મૃતદેહ બદલાઈ જવાના ઘણા કિસ્સા ઓ સામે આવ્યા છે ત્યારે મધ્ય પ્રદેશ મા પણ એક ઘટના આવી સામે આવી છે.

મધ્ય પ્રદેશ શિયોપુર મા પોલીસને ગુરુવારે સાંજે બરોડા ગામે એક અજાણ્યોમી લાશ મળી હતી. જ્યાં તેની ઓળખ ગામના લોકો દ્વારા 4-5 દિવસથી ગુમ થયેલ યુવક દિલીપ તરીકે થઇ હતી. પરિવારે પણ આ વાત સ્વીકારી અને મૃતદેહની અંતિમ વિધિ કરી. પરંતુ ગુમ થયેલ દિલીપ યુવક તેના ઘરે પાછો ગયો ત્યારે સાંજની આખી વાત બદલાઈ ગઈ. જેને જોઇને પરિવારથી લઈને પોલીસ સુધી ચોંકી ઉઠ્યા છે. પોલીસ કહે છે કે આ ભૂલ કેવી રીતે થઈ કે અજાણ્યા મૃતદેહને દિલીપના અંતિમ સંસ્કાર તરીકે ગેરસમજ થય હતી.

આ બાબત વિગતે જાણીએ તો પોલીસ ને જે લાશ મળી હતી તેની ઓળખ કરવા માટે મૃત
વ્યક્ત નો ફોટો પાડી ને સોસિયલ મીડીયા પર મુકવામાં આવ્યો હતો આ ફોટો જોઇને મૃતકનો ભાઈ બંટી શર્મા શુક્રવારે પોલીસ પહોંચ્યો હતો અને તેના ભાઈ દિલીપની લાશ જણાવી હતી. પોલીસે તેનો પંચનામા કર્યો અને અંતિમ સંસ્કાર કરાવ્યા. પરંતુ તે જ દિવસે આઠ વાગ્યે તે જીવતો પાછો આવ્યો.

આ મામલે વાત કરતાં સ્ટેશન પ્રભારી દેવેન્દ્ર કુશવાહાએ જણાવ્યું હતું કે બંન્ટી શર્મા દ્વારા મૃતદેહની ઓળખ તેના ભાઈ દિલીપ તરીકે કરી હતી. જે બાદ લાશ તેને સોંપવામાં આવી હતી. પરંતુ તે જીવંત નીકળ્યો હતો , હવે સવાલ એ છે કે, આખરે કોના અંતીમ સંસ્કાર કરવામા આવ્યા. પોલીસ માટે આ એક તપાસ નો વિષય બની ગયો છે.

જો દીલીપ ની વાત કરીએ તો દિલીપના પરિવારે પોલીસને જણાવ્યું હતું કે તેની માનસિક સ્થિતિ સારી નથી. દરરોજ તે કીધા ક વિના ઘરની બહાર નીકળે છે. ઘણા દિવસોથી પાછો નથી ફરતો, આ વખતે પણ તે છેલ્લા 4-5 દિવસથી ગુમ હતો. જે ડેડબોડી મળી હતી તે દિલીપના ચહેરા જેવું હતું. તેથી ઓળખ કરવામાં સમસ્યા આવી, જેના કારણે તે ભૂલ થઈ ગઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!