Entertainment

ઓટો રીક્ષા ચાલક રાતોરાત કરોડપતિ બની ગયો! એક જ દિવસમાં આવી રીતે 12 કરોડ મળ્યા…

કિસ્તમત નાં દ્વારા ક્યારે ખુલે કોઈ નથી જાણતું! જીવનમાં ઈશ્વર ધારે તો તમને બધું જ આપી શકે છે,બસ તમારે રાહ જોવાની હોય છે. આમ પણ કહેવાય છે ને કે, ઉપર વાળો જ્યારે આપે છે, ત્યારે બે હાથે આપે છે. આપણે એવા અનેક બનાવ જોય હશે જેમા એવા ઘણા વ્યક્તિઓ હશે જે રાતોરાત લખપતિ કે કરોડપતિ બની ગયા હોય.આ ઘટના ખૂબ જ ચોકવનારી અને આશ્ર્ય જનક કહેવાય છે.

આજે અમે વાત કરીશું એક રીક્ષા ચાલક ની જે રાતો રાત કરોડપતિ બની ગયો. જેનું જીવનસદાય રીક્ષા ચલાવવામાં વિત્યું એ માણસ પાસે અચાનક 12 કરોડ રૂપિયા આવી ગયા. હવે તમને વિચાર આવે કે આવું કંઈ રીતે બની શકે?ક્યારેય એક વ્યક્તિ પાસે આટલી અઢળક પૈસાઓ કંઈ રીતે આવી શકે? અમે આપને હકીકત જણાવીશું. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે,56 વર્ષીય જયપાલનને અચનાક 12 કરોડ ની લોટરી લાગી ગયેલ. ખરેખર આ વ્યક્તિનો વ્યવસાયરીક્ષાચાલક છે.

એક દિવસ સૌ કોઈ તેમને ઓટો વાળા ભાઈ કહીને બોલાવતા હતા પરંતુ આજે આખું કેરળ તેમના વિષે કરોડપતિ કહે છે. જયપાલન કોચિ પાસે મરાડુમાં પોતાના 95 વર્ષીય માતા, પત્ની અને બે બાળકો સાથે રહે છે. તેમણે પોતાના બાળકોના સુવર્ણ ભવિષ્ય માટે ખૂબ મહેનત કરી. જો કે, હવે તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે.

અચનાક તેમને ટીવીના માધ્યમથી બંપર પ્રાઈઝ જીતનારા લોટરીના નંબર વિષે જાણવા મળ્યું. જ્યારે તેમણે ટીવીમાં પોતાનો નંબર જોયો તો તેમની ખુશીનું ઠેકાણુ નહોતું. રિપોર્ટ અનુસાર, સોમવારે સવારે જયપાલને કેનરા બેન્કની પલ્લીનાડા બ્રાન્ચમાં ટિકિટ જમા કરાવી છે. ત્યારપછી જ તેઓ બંપર લોટરી જીત્યા હોવાની ખબર વાયરલ થઈ છે.રવિવારના રોજ ઓણમ બંપર લોટરીના વિજેતાનું નામ જાહેર કરવામાં આવ્યુ હતું.

આ જાહેરાત પછી જયપાલનના દિવસો બદલાઈ ગયા છે કારણકે તેમણે 12 કરોડની લોટરી જીતી છે. 10 સપ્ટેમ્બરના રોજ ત્રિપુનિથુરામાં મીનાક્ષી લોટરી પાસેથી ટિકિટ ખરીદી હતી. કુલ 12 કરોડ રુપિયામાંથી 10 ટકા પૈસા એજન્સી કમિશન તરીકે લેશે. ટેક્સ કપાયા પછી જયપાલનને લગભગ 7.39 કરોડ રુપિયા મળશે. જયપાલન દર વર્ષે જ ઓણમ બંપર ટિકિટ ખરીદતા હતા. તેઓ જણાવે છે કે, હું લગભગ દરેક સીઝનમાં માત્ર એક જ બંપર ટિકિટ ખરીદુ છું. અને આ વર્ષે નસીબે મારો સાથ આપ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!