India

જન્મદિવસના દિવસે જ 5 વર્ષના બાળકનું થયું મૃત્યુ! આ કારણે થયું નિધન..

ઈશ્વર ખોબલો ભરીને સુખ આપે છે તો એક જ પળમાં દુઃખ વરસાવી શકે છે! ઈશ્વરની ઈચ્છાશક્તિ બળવાન છે તેંમજ ક્યારે એવી ઘટનાઓ ઘટી જતી હોય છે કે જેનો આપણને ખ્યાલ પણ ન રહે અને એના ઘા જિંદગી ભર રૂઝાતા નથી. આપણે જાણીએ છે કે સોશિયલ મીડિયામાં અનેક કરુણદાયક કિસ્સાઓ આપણે સાંભળવા મળતા હોય છે ત્યારે હાલમાં એક કિસ્સો ખૂબ જ ચર્ચામાં આવ્યો છે.

વાત જાણે એમ છે કે, 5 વર્ષીય માસૂમનો જન્મ દિવસ ઉજવીને વરાછાનું નાકરાણી પરિવાર કામરેજના ફાર્મહાઉસથી સુરત ઘરે પરત ફરી રહ્યું હતું ત્યારે રસ્તામાં ડિવાઈડર સાથે કાર અથડાઈને પલટી મારી ગઇ હતી. જેમાં કારનો દરવાજો ખુલી જતા 5 વર્ષનો દીકરો ને ડિવાઈડર સાથે ભટકાયો જેમાં તેને ગંભીર ઇજા થતા તેનું મોત નિપજ્યું હતું.

ખાસ વાત એ કે, ભરતભાઈ ઉપરાંત તેમની પત્ની, ભત્રીજી, દીકરો ઇવાન અને મિત્ર મંથન વિઠ્ઠલ ઠુમ્મર હતો. કાર મંથન ચલાવતો હતો. કામરેજમાં રેસ્ટોરન્ટમાં જમીને તેઓ ઘર તરફ આવતા હતા ત્યારે વાલક પાટિયા પાસે બપોરે સાડા બાર વાગે મંથને કારના સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.

કાર ડિવાઈડર સાથે અથડાતા કાર બીજી સાઈડે એક વખત પલટી મારીને ફરીથી સીધી થઈને ઉભી રહી ગઈ હતી. તે વખતે કારનો દરવાજો ખુલી જતા ઇવાન કારની બહાર ફંગોળાઈને ડિવાઈડર પર ફેંકાયો હતો. તેથી માથાના ભાગે,મોઢાના ભાગે, દાઢી,હાથ-પગના ભાગે ઇજા થઈ હતી. તેને હોસ્પિટલમાં લઈ જવાતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

કારમાં બેસેલા અન્ય લોકોને સામાન્ય ઇજા થઈ હતી. ભરતભાઈએ મંથન વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, ત્યારે હવે આ ઘટના આકસ્મિક રિતે સર્જાય છે કે પછી જાણી જોઈએને એ તો સમય જ બતાવશે પરતું આ બાળક એ પોતાનો જીવ ગુમાવ્યો અને એક માતા પિતા પોતાનો દીકરો ત્યારે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે તેમના દિવ્ય આત્માને શાંતિ મળે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!