India

બૉલીવુડ જગત પર દુઃખના આભ ફાટી પડયા ! આ દીગ્ગજ ડાયરેક્ટરનું નિધન થતા સૌ કોઈ સ્ટાર શોકમાં, “નાગિન” તથા “જાની દુશમન” જેવી ફિલ્મો બનાવી..

મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાંથી અનેક વખત દુઃખના સમાચાર સામે આવતા હોય છે જેના વિશે જાણ્યા બાદ આખી ઇન્ડસ્ટ્રી દુઃખમાં ગરકાવ થઇ જતી હોય છે, આમ તો તમને ખબર જ હશે કે હવે આ દુનિયામાં શ્રીદેવી, સુશાંત સિંહ રાજપૂત તથા કેકે જેવા અનેક મોટા મોટા ગાયકો હવે આ દુનિયામાં નથી રહ્યા એવામાં હાલ અનેક એવી દુઃખ ખબરો પણ સામે આવી રહી છે જેમાં ડાયરેક્ટર કે કોઈ એક્ટરનું નિધન થઇ રહ્યું છે.

ત્યાં જ હાલ એક વધુ બૉલીવુડ ઇન્ડસ્ટ્રી માંથી દુઃખના સમાચાર સામે આવ્યા છે કારણ કે દિગ્ગજ ફિલ્મ ડાયરેક્ટર એવા રાજકુમાર કોહલીના નિધનની ખબર હાલ સામે આવી રહી છે જેને લઈને તમામ બૉલીવુડ અભિનેતાઓ શોકમાં ગરકાવ થયા છે, રિપોર્ટ અનુસાર જાણવા મળેલ છે કે 24 નવેમ્બરના રોજ રાજકુમાર કોહલીની નિધનની ખબર સામે આવી હતી જેને લઈને આખા બૉલીવુડ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

93 વર્ષની ઉંમરમાં રાજકુમાર કોહલીને દિલનો દોરો પડતા તેઓનું દુઃખદ રીતે નિધન થયું હતું, આ ખબર સામે આવતા જ બૉલીવુડ જગતમાં સૌ કોઈ દુઃખી થયું હતું, તમને જણાવી દઈએ કે રાજુકુમાર કોહલીના ડાયરેક્ટેડ કરેલ ફિલ્મો વિશે જો વાત કરવામાં આવે તો તેઓએ “નાગિન” તથા “જાની દુશમન” જેવી અનેક સારી ફિલ્મો બનાવી ચુક્યા છે.

રાજકુમાર કોહલીની શાંતિ સભાની અંદર સન્ની દેઓલ, શત્રુઘન સિંહા,રાજ બબર જેવી અનેક નામી હસ્તીઓ હાજર રહી હતી અને રાજકુમાર કોહલીની દિવંગત આત્માને શાંતિ આપી હતી, તેમનો દીકરો એટલે અરમાન કોહલીએ પણ બૉલીવુડ ઇન્ડસ્ટ્રીની અનેક ફિલ્મોમાં કામ કરી ચુક્યો છે.ભગવાન આ દિગ્ગજ ડાયરેક્ટરની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના સહ,ૐ શાંતિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!