ગ્રીષ્મા હત્યાકાંડ જેવી જ ઘટના મા કોર્ટે આપ્યો આપ્યો મહત્વ નો ચુકાદો ! હત્યારા રાજુ પટેલ ની મળી આ સજા….જાણો વિગતે
આપણે સૌ કોઈ જાણીએ છે કે, સુરત શહેરમાં ગ્રીષ્મા હત્યાકાંડનાં લીધે સૌ કોઈ ચોંકી ગયા હતા. આવી જ ઘટના બે મહિના પહેલાં ખેડા જિલ્લાના માતર તાલુકાના ત્રાજ ગામમાં બની હતી. 42 વર્ષના યુવકે 15 વર્ષની સગીરાનું જાહેરમાં ગળું કાપીને હત્યા કરી દીધી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે, ફક્ત 2 મહિનામાં જ નડિયાદ ડિસ્ટ્રીક્ટ કોર્ટે ચુકાદો સંભળાવી દીધો છે.
દોષિત રાજેશ ઉર્ફે રાજૂ પટેલને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.. રાજુ પટેલ નામના આરોપીએ 17 ઓગસ્ટે કિશોરીના ગળામાં ભરબજારે ચપ્પુનાં ઘા મારી દીધા હતાં. હત્યાના આરોપીને તેના પરિવાર દ્વારા ફાંસીની સજાની માંગણી કરવામાં આવી હતી. જોકે કોર્ટે તેને આજીવન કેદની સજા સંભળાવી છે.
કયા ઘટના વિશે એક નજર મૃતક દીકરી સાંજના સાત વાગ્યાની આસપાસ કૃપા ઠંડા પીણાની બોટલ લેવા ગઈ હતી. ત્યારે આ બનાવ બન્યો હતો. કૃપા દુકાને પહોંચી હતી ત્યારે રાજુ ત્યાં પહોંચ્યો હતો અને તેણીના ગળા અને હાથના ભાગે ચપ્પુના ઘા મારી દીધા હતા.કૃપાને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવે તે પહેલાં જ તેના શ્વાસ તૂટી ગયા હતાં. જ્યારે કૃપા હોસ્પિટલ પહોંચી ત્યારે ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.
આ બનાવ અંગે એસ.પી. અને ડીવાયએસપી સહિતના અધિકારીઓ પણ માતર ખાતે દોડી ગયા હતા. પોલીસ તપાસમા આરોપી આધેડે પોતાની ભત્રીજીની મિત્ર કૃપાના એકતરફી પ્રેમમાં કૃપાની હત્યા કરી હોવાનું કબલ્યું હતું. કૃપાએ આરોપી સાથે સંબંધ ના રાખતા આવેશમાં આવી આરોપીએ આ જઘન્ય કૃત્ય કર્યું હતું.