Gujarat

જાણો કોણ છે ? ડી.કે સ્વામી જે ભાજપ માથી ચુંટણી લડશે ! યોગી સાથે આવા ખાસ સબંધ અને લવ-જેહાદ…

હાલ ના સમય મા ગુજરાત મા ચારેકોર ચૂંટણી નો રંગ જામ્યો છે જ્યારે આ વખતે બે ની બદલે ગુજરાત મા ત્રણ પાર્ટીઓ ખુબ જોર શોર થી પ્રચાર કરવા ના મુડ મા છે જ્યારે હાલ ભાજપે કુલ 160 ઉમેદવાર ની યાદી બહાર પાડી છે અને અનેક નવા ચેહરાઓ ને સ્થાન આપી સૌ કોઈ ને ચોંકાવી દીધા હતા જ્યારે 160 ઉમેદવાર માથી એક નામ હાલ ઘણુ ચર્ચા નો વિષય બન્યો છે એ નામ છે સ્વામિનારાયણના સંતન ડીકે સ્વામી…

સૌ પ્રથમ તો આપને જણાવી દઈએ કે ડીકે સ્વામી જંબુસર બેઠક પરથી ભાજપ ના ઉમેદવાર તરીકે પસંદગી પામ્યા છે. જો ડી.કે સ્વામિની વાત કરવા મા આવે તો તેવો ઉત્તર પ્રદેશના સીએમ યોગી ના નજીક ના માનવા મા આવે છે અને તેવો આમોદના નાહિયેર ગુરુકુળના સંત અને ભરૂચ સ્વામિનારાયણ ગુડવિલ સ્કૂલના સંચાલક છે. વર્ષો થી ભાજપ અને સંઘ સાથે જોડાયેલા ડી.કે સ્વામીએ 9 વર્ષ ની ઉમરે જ દિક્ષા ગૃહણ કરી હતી.

ડી.કે સ્વામી તરકે જાણીતા બનાલ સ્વામી નુ પુરુ નામ દેવકિશોરજી સાધુ છે. ડી.કે જંબુસર મા સ્થાનિક હિન્દુ મતદારો પર મજબૂત પકડ ધરાવે છે. તેમના મોટી સંખ્યામાં અનુયાયીઓ પણ છે. જ્યારે 2017 મા પણ તેઓ એ ચુંટણી લડવાની ઈચ્છા દર્શાવી હતી. જ્યારે જંબુસરમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય છત્રસિંહ મોરી સામે લોકોમાં ભારે નારાજગી હતી ત્યારે આ વખતે ભાજપે ડી.કે સ્વામી ને ઉમેદવાર તરકે જાહેરાત કર્યા છે.

ડી.કે સ્વામી એ દિવ્ય ભાસ્કર ને અનેક સવાલ ના જવાબ આપ્યા હતા જેમા નો એક સવાલ હતો લવ-જેહાદ વિશે શું માનો છો? ત્યારે તેવો એ જવાબ આપ્યો હતો કે “એ પણ ન થવું જોઈએ. જેની જે સંસ્કૃતિ હોય એ પરંપરામાં જ રહેવું જોઈએ. ક્ષણિક કામ માટે આખા સમાજ કે ધર્મને નુકસાન ન કરીએ, એટલે મારું માનવું એવું છે કે લવ-જેહાદ ન થવો જોઈએ.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!