પાંચ મિત્રો કાર લઈને ફરવા ગયા પણ મોત ભરખી ગયું! બે પટેલ યુવાન સહિત ત્રણનું મોત જ્યારે બે અન્ય યુવકોને..
ગુજરાતમાં મોરબી હોનારતના દુઃખમાંથી બહાર નથી આવ્યું ત્યાં ફરી એકવાર દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આપણે જાણીએ છે કે, દિવસેને દિવસે અનેક ભંયકર અકસ્માત બને છે, ત્યારે હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, છોટા ઉદેપુરના નસવાડી તાલુકાના સોઢલિયા પાસે ગત મોડી રાત્રે 5 મિત્રો કાર લઈને મધ્ય પ્રદેશ જવા નીકળ્યા હતા. આ ત્રણેય મિત્રોએ સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય કે આ તેમની અંતિમ સફર બની રહેશે.
મધ્યપ્રદેશ જતી વખતે કાર અચાનક જ પલટી ખાઈ જતાં કારમાં સવાર 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય 2 લોકોને ઇજા પહોંચતા નસવાડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.આ દુઃખદાયી ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ તો નસવાડીથી ગત રાત્રે 5 મિત્રો કાર લઈને મધ્ય પ્રદેશ જવા નીકળ્યા હતા. ત્યારે માંડ 5 કિલોમીટર જ પહોંચ્યા હતા. ત્યારે સોઢલિયા ગામના વળાંક પાસે અચાનક કારના ચાલક નયન ડું.ભિલે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા ગાડી રસ્તાની બાજુમાં ઉતારી 4-5 પલટી ખાઈ ગઈ હતી.
ગાડી પલટી ખાતા જ ચાલક નયન ડું.ભિલને માથાના ભાગે તેમજ શરીર પર ગંભીર ઈજાઓ થવાથી તેમજ મિંક પટેલ અને પાર્થ પટેલને પણ ગંભીર ઈજાઓ થતા ત્રણે જણાના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ગાડીમાં સવાર અન્ય ધવલ રાજપૂત અને મિહિર ઉર્ફે સન્ની બારિયાને નાની મોટી ઇજા થતાં તેઓને સારવાર અર્થે નસવાડી સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ કરવામાં આવ્યા છે.
એકી સાથે ત્રણે મિત્રોના મોત થવાથી નસવાડી નગરમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ઈશ્વરને પ્રાર્થના કરીએ અન્ય બે ઈજાગ્રસ્ત યુવાનો જલ્દી જ સ્વસ્થ થઇ જાય તેમજ મૃતકોની આત્માને શાંતિ મળે અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે. ખરેખર આ ઘટના ખુબ જ દુઃખદાયી છે કારણ કે. પરીવારે પોતાના વ્હાલસોયા દીકરા ગુમાવ્યા છે.