Entertainment

બે બાળકો ની માતા એ ઝેરી દવા ગટગટાવી જિંદગી ટુકાવ્યું ! આત્મ હત્યા કરવાનુ કારણ….

હાલમાં જ્યાં જુઓ ત્યાં આપઘાત નાં બનાવ બહાર આવી રહ્યા છે, ત્યારે આ ઘટનાઓ ખૂબ જ ચિંતાજનક અને દુઃખદ કહેવાય.હાલમાં જ એક પરિણીતા એ પોતાનું જીવન ટૂંકાવ્યું અને તેની પાછળ નું કારણ ખૂબ જ ચોંકાવનારું છે.સુત્ર દ્વારા જાણવા મળ્યું કે કોઠારીયા સોલવન્ટમાં રહેતી પરિણીતાએ પોતાના પતિના આડાસંબંધથી કંટાળી ઝેરી દવા પી લીધી.

ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખદ કહેવાય. તમને એ જાણીને વધારે દુઃખ થશે કે યુવટીનું નિધન થવાથી બે માસુમ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી દેતા ગમગીની છવાઈ જવા પામી છે. પરિવારમાં શોકની લાગણીઓ છવાઈ ગઈ છે. ત્યારે આ ઘટના અંગે આપણે વિસ્તૃત માહિતગાર થઈ કે, કે સમગ્ર ઘટના કંઈ રીતે બની હતી અને એવા તે ક્યાં કારણોસર આવું પગલું ભરવું પડ્યું.

કોઠારિયા રેલવે સ્ટેશનની સામે રહેતા રીનાબેન વિજય ખીમજી પરમાર (ઊ. વ 28) એ આજે વહેલી સવારે પતિના અનૈતિક સંબંધથી રોષે ભરાઈને પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઝેરી દવા પીધા અંગે નાના ભાઈ પંકજ અને પતિ ખીમજીને ફોન કરી જાણ કરી હતી.બનાવ અંગેની જાણ થતાં ભાઈ એ ઘરે દોડી જઇ બેશુદ્ધ હાલતમાં પરણિતાને સારવાર અર્થે પ્રથમ મવડીમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી.

જ્યાં ફરજ પરના તબીબે મહિલાની સ્થિતિ ગંભીર જણાતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું.પરતું સિવિલ હોસ્પિટલમાં પરણિતા પહોંચે તે પૂર્વ જ મોત નીપજતાં પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી.એક વર્ષ પહેલા પણ બહેન રીસામણે આવી હતી. સાતમ આઠમ નિમિત્તે માવતરે જવા બાબતે પણ ઝઘડો થયો હતો. ખીમજીને અન્ય સ્ત્રી સાથે પણ સબંધ હોવાથી અવાર નવાર ઝગડા ચાલતા હતા.આજે સવારે બહેન ઝેરી દવા પીધા બાદ પણ સાસરિયાં પક્ષના લોકો સમયસર સારવાર અર્થે પણ લઈ ન ગયા હોવાનું જાણવા મળ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!