જામનગર : ભાઈબીજનાં દિવસે ભયંકર અકસ્માતે બાળક સહિત પિતાનો જીવ લીધો, દોઢ વર્ષની બાળકી સાથે ઘટી આશ્ચય જનક ઘટના.
ગુજરાતમાં દિવસેને દિવસે અનેક પ્રકાર રીતે અકસ્માત થઈ રહ્યા છે, ત્યારે હાલમાં જ ભાઈબીજના દિવસે દુઃખ ઘટના બની છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ભાઈબીજાના દિવસે જ ધ્રોલની આહિર કન્યા છાત્રાલય પાસે અકસ્માત સર્જાયો હતો અને આ દુઃખદ ઘટનામાં 2 વ્યક્તિનું કરુણ દાયક મોત થયું છે. આ અકસ્માત વિશે વિગતવાર માહિતી જાણીએ.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, વાહન ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં આશરે 10 વર્ષના બાળક સહીત બીજલભાઈ જેઠવા નામના વ્યક્તિનાએ જીવ ગુમાવ્યો છે તેમજ કારમાં સવાર મહિલાને ગંભીર ઇજા થતા તાત્કાલિક સારવાર અર્થે જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ ઘટનામાં દોઢ વર્ષની બાળકીનો ચમત્કારીક બચાવ થયો.
તપાસ દ્વારા જાણવા મળ્યું કે, પીડિત પરિવાર અમદાવાદનો હતો અને જામનગર જતા હતા ત્યારે જ એક્સીડન્ટ થયેલ. આ દુઃખદ ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે. ઉપરાંત મૃતકના પરિવારજનોને જાણ કરી કાર્યવાહી શરૂ કરી છે. એક તરફ નવા વર્ષનું આગમન થયું છે, એવા શુભ અવસરે પણ અનેક લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવે છે.
આવી જ એક દુઃખદ ઘટના મોરબીના હરીપર કેરાળા પાસે બની હતી. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતાં તેમજ સાતથી વધુ લોકોને ઈજા પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.