Gujarat

જુનાગઢમાં ત્રણ સંતાનોના પિતાએ કરી 22 વર્ષીય પ્રેમિકાની હત્યા ! હત્યાનું કારણ જાણી તમને આંચકો લાગશે, મૃતદેહને પથ્થર સાથે બાંધી દીધો અને પાણી….

આમ તો જો વાત કરવામાં આવે તો આખા દેશમાં હાલ શ્રધા હત્યાકાંડની ચીસો ગુંજી રહી છે જેમાં આફતાબ નામના યુવકે શ્રધાની હત્યા કરીને તેના અનેક ટુકડા કરી નાખ્યા હતા. એવામાં હજી થોડા દિવસો પેહલા જ જુનાગઢના કેશોદના એક ચેકડેમ માંથી એક યુવતીની લાશ મળી આવી હતી જેનો ભેદ અત્યારે ઉકેલાયો છે. મૃતદેહ મળતા સામે આવ્યું છે કે આ યુવતીને મૃત્યુ આપનાર બીજું કોઈ નહિ પણ તેનો 39 વર્ષનો પ્રેમી જ છે.

રીપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે 12 નવેમ્બરના રોજ જુનાગઢ જીલ્લાના કેશોદ તાલુકામાં આવેલ પાડોદર ગામમાં આવેલ ચેકડેમ પાસે આવેલ તળાવમાંથી અજાણી યુવતીની લાશ મળી આવી હતી, આ લાશને પથ્થર સાથે બાંધી હોવા છતાં તે પાણીની ઉપરની સપાટીએ પર આવી પોહચી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પોહચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી જેમાં જાણવા મળ્યું હતું કે આ યુવતીનું નામ તેજલ ચુડાસમા(ઉ.વ.22) છે જે પડોદર ગામની રેહવાસી છે.

આ ઘટના અંગે પોલીસે અને લોકલ ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી જેમાં જાણવા મળ્યું કે મૃતક તેજલના 39 વર્ષીય અને ત્રણ સંતાનોના પિતા એવા રાજેશ ઉર્ફ રાજુ સોલંકી નામના યુવક સાથે છેલ્લા 4 વર્ષોથી પ્રેમ સબંધ ચાલી રહ્યા હતા. એવામાં મૃતક તેજલ વારંવાર રાજેશને લગ્ન કરવાનું કેહતી હતી પરંતુ તેઓ બંને પરણિત હોવાને લીધે આવું શક્ય બની શકે નહી તેવું વારંવાર રાજેશ સમજાવતો હતો કે તેઓએ લગ્ન ન કરવા જોઈએ પણ સબંધ એમનામ યથાવત રાખવા જોઈએ.

આટલું સમજાવ્યા છતાં તેજલ રાજેશનું માનવા તૈયાર હતી નહી અને તે વારંવાર આરોપી રાજેશને એવી ચીમકી આપીતી કે લગ્ન નહિ થાય તો તે અવળું પગલું ભરશે. 9 નવેમ્બરના રોજ જયારે રાજેશ અને તેજલ બંને બાઈક પર સવારે ઘરેથી 500 મીટર દુર આવેલ ચેકડેમ ગયા હતા, જ્યાં તેજલને લાગ્યું હતું કે તે ત્યાંથી ભાગી જશે પરંતુ ફરી વખત રાજેશે તેને સમજાવાનો પ્રયાસ કર્યો હતો. રાજેશની આ વાતને લઈને તેજલ ખુબ ગુસ્સે ભરાય હતી જે બાદ બંને વચ્ચે ઝગડો થયો હતો, એવામાં આ ઝગડાને ઝગડામાં જ રાજેશે તેજલનું દુપ્પટા વડે ગળું દબાવીને બેરેહમીથી મૃત્યુ આપ્યું.

તેજલનું મૃત્યુ થતા રાજેશે તેની લાશને દોરડા વડે પથ્થર બાંધીને તેને તળાવમાં ફેકી દીધી હતી જેથી કોઈને આ ઘટના વિશે ખબર ન પડે, પરંતુ લાશ પાણીની ઉપરની સપાટીએ આવી જતા આખી ઘટના સામે આવી ગઈ હતી. હાલ તો પોલીસે રાજેશની ધરપકડ કરીને પૂછતાછ કરી રહી છે જેમાં રાજેશે ખુબ સ્વીકાર કર્યું છે કે તેને મૃતક યુવતી લગ્ન માટે સતત દબાણ કરતી હતી, આથી તેને તેને મૌતને ઘાટ ઉતારી દીધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!