કુતિયાણા : પશુનો જીવ બચાવવા પોતાનો જીવ જોખમમાં મૂકી દેતા PSI જોગદિયાનું નિધન થયું….

આપણે જાણીએ છે કે, અનેકવાર રખડતા પશુઓના લીધે અકસ્માતમાં વ્યક્તિનો જીવ જતો હોય છે, ત્યારે હાલમાં જ આવો એક બનાવ બન્યો પરંતુ આ બનાવમાં ખૂબ જ કરુણદાયક અને હદયસ્પર્શી ઘટના બની છે, સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, કુતિયાણા નજીક પશુને બચાવવા જતા પોલીસ બોલેરો પુલના ડિવાઈડર સાથે અથડાયો અને આ ભયંકર ઘટનામાં 34 વર્ષીય PSI જોગદિયાનું નિધન થયું.

ચાલો અમે આપણેબા દુઃખદ ઘટના અંગે વધારે વિગતવાર જાણીએ. મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે, પીએસઆઈ જેસીંગભાઈ જેઠાભાઈ જોગદિયા અને કોન્સ્ટેબલ કિશનભાઈ મકવાણા પોલીસ ખાતાના સરકારી કામે ગાંધીનગરથી પોરબંદર પરત આવતા હતા અને વહેલી સવારે હાઇવે ઉપર કુતિયાણા નજીક કોઈ પશુને બચાવવા જતા બોલેરો ડિવાઈડર સાથે અથડાઈ ગયો હતો.

આ અકસ્માતમાં ઘવાયેલા પીએસઆઈ શ્રી જોગદિયા પોરબંદર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન પામ્યા છે અને કિશનભાઈની ICU માં સારવાર ચાલે છે. મૃતક પીએસઆઈ જેસીંગભાઈ જેઠાભાઈ જોગદિયા વિશે વિગતવાર માહિતી આપીએ. તેમનો જન્મ 17/2/1988ના રોજ થયો હતો. તેઓ દલિત પરિવારમાંથી આવતા હતા.

પોતાના વતનમાં રાજુલામાં દલિત વિદ્યાર્થીઓ માટે શિક્ષણને લઈ પ્રશંસાનિય કામગીરી કરી હતી. પોલીસ વિભાગમાં પણ કર્મનિષ્ઠ અધિકારીની છાપ ધરાવતા હતા. તેમના મૂળ ગામ છેલણાં  ખાતે અંતિમક્રિયા કરાશે. આ બનાવના પગલે પોલીસ બેડામાં શોક છવાયો છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *