Gujarat

ભગવાન આવો દીકરો કોઈ મા ને નો દે…દિકરા એ જે કર્યુ એ જાણી તમે..

કહેવાય છે ને કે, જીવનમાં અનેક દુઃખો આવે છે પરંતુ જ્યારે પોતાના લોકો જ આપણને દુઃખો આપે ત્યારે તેની કોઈ દવાનથી હોતી! આજનાં સમયમાં સંતાનો પોતાના માતાપિતાને અનેકગણું દુઃખ આપતા હોય છે, આવા સંજોગમાં અનેક પરિસ્થિતિઓમાં દુઃખ ભોગવવું પડે છે.

હાલમાં જ એક ખૂબ જ દુઃખ ઘટના બની છે,સિદ્ધપુર તાલુકાના ધુમ્મડ ગામમાં એક કરુણતાનો કિસ્સો સામે આવ્યો છે. એમાં એક પુત્રએ જનેતાને માર મારીને ઘરમાંથી કાઢી મૂકી હતી. માતાની જમીન અને મકાન પચાવી પાડીને પુત્રએ જનેતાને નોધારી બનાવી દીધી હતી. તેથી માતાએ દીકરાની સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 

જે માબાપ તમને દુનિયામાં લઈને આવ્યા અને બાળપણ થી લઈને યુવાન સુધી જેમનું જનત કર્યું એવા મા-બાપને નોંધાર કરવા એટલે ક્યાંની માણસાઈ? આવું તો કોઈ પારકું પણ ન કરે.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, તાલુકામાં આવેલા ધુમ્મસ ગામમાં ગોમતી ઠાકોર તેમના પરિવારની સાથે રહે છે. ગોમતી ઠાકોરની ઉંમર 60 વર્ષની છે. તેમના સંતાનમાં બે દીકરાઓ છે. ગોમતી ઠાકોરના પતિ ભીખાજી ઠાકોરનું પાંચ વર્ષથી અવસાન થયું હતું. પતિના અવશાન પછી માતા દીકરા પ્રધાન ઠાકોરની સાથે રહેતા હતા.

દીકરા અને તેની પત્નીએ જનેતાને માર માર્યો હતો અને તેમને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હતા. મોટા દીકરાએ માતા સાથે અમાનવીય વર્તન કર્યું હોવાની જાણ નાના દીકરા ડાહ્યા ઠાકોરને થતા તે માતા પાસે આવ્યો હતો અને માતાને પોતાની સામે અમદાવાદમાં લઇ ગયો હતો.

આ સમગ્ર મામલે ગોમતી ઠાકોરે કાકોશી પોલીસ સ્ટેશનમાં દીકરા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે મહિલાની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. ખરેખર આ ઘોર કળિયુગ કહેવાય કારણ કે જે, ઉંમરમાં માતાપિતાને જાત્રા કરાવવી જોઈએ એ સમય માતાપિતા સાથે આવો વ્યવહાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!