Gujarat

બાબા વેન્ગા ની ભારત ને લઈ ને ખતરનાક ભવિષ્યવાણી ! આ સમયે આવી શકે છે મોટી આફત..જાણો વિગતે

બલ્ગેરિયાના પ્રબોધક બાબા વેન્ગા વિશ્વના પ્રસિદ્ધ ભવિષ્યવાણીઓ કરતાઓ માંથી એક છે.તેમની ભવિષ્યવાણીઓ હમણાં જ સાચી સાબિત થઈ છેબાબા વેંગાએ વર્ષ 5079 સુધી ભવિષ્યવાણી કરી હતી. બાબા વેંગા દ્વારા વર્ષ 2022 માટે કરવામાં આવેલી બે ભવિષ્યવાણીઓ અત્યાર સુધી સાચી સાબિત થઈ છે. હાલમાં તેમને ભારતને લઈને ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે.

બલ્ગેરિયામાં રહેતા સૂથસેયર બાબા વેંગા ફકીર હતા. 1911માં જન્મેલા બાબા વેંગાએ માત્ર 12 વર્ષની ઉંમરે તેમની આંખોની રોશની ગુમાવી દીધી હતી. કહેવાય છે કે તેમની 85 ટકા ભવિષ્યવાણીઓ સાચી પડી છે. બાબા વેંગાનું ઓગસ્ટ 1996માં સ્તન કેન્સરથી અવસાન થયું હતું. પરંતુ તેમના મૃત્યુ પહેલા, તેમણે વર્ષ 5079 સુધી આગાહી કરી હતી.

ચાલો જાણીએ બાબા વેંગાએ ભારત વિશે શું ભવિષ્યવાણી કરી છે? સોવિયત સંઘનું વિઘટન, અમેરિકામાં આતંકવાદી સંગઠન અલ કાયદાના 9/11 હુમલા સહિત બાબા વેંગા દ્વારા કરવામાં આવેલી ઘણી ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે. બલ્ગેરિયાના અંધ બાબા વેંગાની ભવિષ્યવાણી પર આખી દુનિયા વિશ્વાસ કરે છે.

બાબા વેંગાએ આગાહી કરી હતી કે વર્ષ 2022માં વિશ્વમાં તાપમાન નીચું રહેશે, જેના કારણે તીડનો પ્રકોપ વધશે. ખોરાકની શોધમાં તીડ ભારત પર હુમલો કરશે. તીડના હુમલામાં પાકને ભારે નુકસાન થશે. આ કારણે ભારતમાં દુકાળની સ્થિતિ સર્જાઈ શકે છે અને દેશમાં ભૂખમરાની સંભાવના છે.જો બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી સાબિત થાય છે તો દેશમાં મોટી મુશ્કેલી આવી શકે છે.

બાબા વેંગાએ વર્ષ 2022 માટે ઘણી ડરામણી ભવિષ્યવાણીઓ કરી હતી. આમાં, કેટલાક દેશોમાં પાણીની અછતને કારણે સમસ્યાઓ વિશે વાત કરવામાં આવી હતી. પોર્ટુગલ અને ઈટાલી જેવા દેશોએ લોકોને ઓછા પાણીનો ઉપયોગ કરવા કહ્યું છે. આ દેશોમાં 1950 પછી સૌથી ઓછો વરસાદ પડી રહ્યો છે. ઇટાલી પણ 1950 પછીના સૌથી ખરાબ દુષ્કાળનો સામનો કરી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!