India

નોસ્ત્રાદમસની વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંગે કરેલ ભવિષ્યવાણી સાંચી પડી ! જાણો હવે શુ નવી આગાહી કરી

આપણે જાણીએ છે કે, એવા અનેક મહાનુભાવો છે, જેનાં દ્વારા કરવામાં આવતી ભવિષ્યવાણી સાચી પડતી હોય છે, ત્યારે આજે અમે આપને નોસ્ત્રાદમસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંગે કરેલ ભવિષ્યવાણી વિશે જણાવીશું. આ ભવિષ્યવાણીને કારણે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ફ્રાંન્સના વિશ્વ વિખ્યાત ભવિષ્યવેતા માઇકલ ડી નોસ્ત્રેદમસ દ્વારા કરવામાં આવેલી હજારો ભવિષ્યવાણીમાં દુનિયામાં સાચી પડી છે. જાણો આ મહાન વ્યક્તિત્વ અને તેમના દ્વારા મોદી વિશે કરવામાં આવેલી ભવિષ્યવાણી વિશે જાણીએ.

ફ્રાન્સના નાના ગામ સેન્ટ રેમીમાં મહાન ફ્રેન્ચ ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસનો જન્મ 14 ડિસેમ્બર 1503માં થયો હતો. ફ્રેન્ચ જ્યોતિષી નાસ્ત્રેદમસ માત્ર ભવિષ્ય નહતા જોતા પરંતુ તેઓ એક સારા શિક્ષણ અને ડોક્ટર પણ હતા. ડોક્ટર નાસ્ત્રેદમસ પ્લેગ જેવી બીમારીઓની સારવાર કરતા હતા. તેમણે દુનિયાને લગતી ઘણી ભવિષ્યવાણી કરી છે, જેમાંથી ઘણી સાચી પણ સાબીત થઈ છે. તેઓ યુવા હતા ત્યારથી જ તેમણે ભવિષ્યવાણી કરવાની શરૂઆત કરી હતી.

તમને જાણીને નવાઈ લાગશે કે, નોસ્ત્રેદમસે વર્ષ 3997 સુધીની ભવિષ્યવાણી કરેલી છે. જેમાંથી અત્યાર સુધીમાં 800થી વધુ ભવિષ્યવાણી સાચી પડી છે. નોસ્ત્રેદમસે ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના મૃત્યુ જેવી ભવિષ્યવાણીઓ કરી હતી, જે સાચી સાબિત થઈ છે.નોસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ પર સંશોધન કરી રહેલા લોકોના મતે નોસ્ત્રેદમસે સેંકડો વર્ષ પહેલા ભારતના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રમોદીના સત્તામાં આવવાની ભવિષ્યવાણી કરી હતી એ ભવિષ્યવાણી સાચી પણ પડી.

સૌથી ખાસ વાત એ છે કે, વર્ષ 2022 ના અંતમાં દોઢ મહિનો બાકી છે, પરંતુ વર્ષ 2022 માટે નોસ્ત્રેદમસની આગાહીઓથી લોકો ખૌફમાં છે. નોસ્ત્રેદમસની આગાહીમુજબ આ વર્ષે દુનિયામાં અણુબોમ્બ ફૂટશે. જો આમ થશે, તો કરોડો લોકો સામે ભૂખમરા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.નોસ્ત્રેદમસે ભવિષ્યવાણીમાં જણાવ્યું છે કે, ત્રીજું વિશ્વ યુદ્ધ સાત મહિના સુધી ચાલશે, જેમાં લાખો લોકોના મોત થઈ શકે છે. નોસ્ત્રેદમસના મતે આ વિશ્વયુદ્ધમાં વિશ્વના ઘણા દેશોનું અસ્તિત્વ ખતમ થઈ જશે. જે લોકો આ યુદ્ધમાં બચી જશે, તેઓ પોતાનું જીવન નવેસરથી શરૂ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!