61 વર્ષ ના પિતા માટે દુલ્હન શોધી રહી છે આ દિકરી ! કારણ જાણી ને…
આપણે સૌ કોઈ જાણીએ છીએ કે દુનીયા મા એક પિતા અને દિકરી વચ્ચે નો સંબંધ કેવો હોય છે. એક પિતા દિકરી વગર અધુરો છે એમ દિકરી પણ ને પણ પિતા વગર નથી ચાલતું હોતુ. ત્યારે એક એવી જ વાત કરવી છે જેમાં દિકરી પિતા ના લગ્ન 61 વર્ષ એ ફરી થી કરાવવા માટે કન્યા શોધી રહી છે. જયારે આવુ કરવા પાછળ નુ કારણ સામે આવ્યુ તો સૌ કોઈ એ દિકરી ની વાહ વાહી કરી.
આ કિસ્સો મધ્ય પ્રદેશ ના ઈંદૌર નો છે જયા એક દિકરી 61 વર્ષ ના પિતા ના ફરી લગ્ન કરાવવા માંગે છે. જયારે એક જાલ સભાગૃહ મા 50 વર્ષ થી વધુ ઉમર ના લોકો નુ એક પરીચય સંમેલન નુ આયોજન થયુ હતુ. અને આ સંમેલન મા દરેક મોટી ઉમર ના લોકો પોતાના જીવન સાથી ની તલાશ માટે આવ્યા હતા અને કુલ 100 થી ઉપર લોકો આવ્યા હતા.
ત્યારે આ સંમેલન મા એક 61 વર્ષિય શ્રી પાલ ટોગીયા પણ આવ્યા હતા. શ્રી પાલ એક મોટા વ્યાપારી છે અને તેવો કરીયાણા નો ધંધો કરે છે જ્યારે તેમની પત્ની નુ નિધન થોડા સમય પહેલા જ થય ગયુ હતુ અને ત્રણ દિકરીઓ હતી એ પોતાના સાસરીયે ચાલી ગઈ છે આવા સમયે શ્રીપાલ ઘરે એકલા પડી ગયા અને હવે તેની સંભાળ લેવા વાળુ કોઈ નથી. આવા સમયે તેમની દિકરી ઓ ના વિચાર આવ્યો કે પિતા માટે એક જીવનસાથી શોધ કરે.
આ સંમેલન મા શ્રીપાલ ને તેમની નાની દિકરી રીની લઈને આવી હતી. રીની એ જણાવ્યું હતુ કે ત્રણેય બહાનો ના લગ્ન બાદ પિતા એકલા થઈ ગયા હતા અને આ માટે તેમની માટે જીવનસાથી શોધએ છીએ. દરેક માતા પિતા બાળકો ની સમસ્યા સમજે પણ બાળકો ની પણ જવાબદારી છે કે માતા પિતા ની પણ સમસ્યા સમજે ! આજ ના સમય મા લોકો વાલીઓ ને વૃદ્ધાશ્રમ મા મુકી આવે છે પરંતુ આ દિકરીઓ એ જે કર્યુ લોકો જાણી ના સલામ કરી રહ્યા છે.