Gujarat

સગા- સંબંધી પાસેથી સારવાર અર્થે લીધેલ 2 લાખ રૂપિયા ઉંદરો કોતરી ગયા! ખેડૂતનું જીવન તો..

હાલના સમયમાં પૈસા ન જીવનની સાચી મૂળી છે, કહેવાય છે ને કે સંપત્તિ મહામૂલ્ય છે અને આજના સમયમાં પૈસા થી દરેક વસ્તુઓ શક્ય બની શકે છે.હાલમાં જ એક ખેડૂતના તમામ પૈસાઓ પળભરમાં નષ્ટ થઈ ગયા ત્યારે ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ વાત જાણીને તમેં પણ આશ્ર્ચર્ય પામી જશો.

તેલંગાણાના રેડ્યા નાઇક ઇન્દિરા નગર થાંડામાં રહે છે. છેલ્લાં કેટલાંક દિવસથી પેટમાં દુખાવો હતો. સ્થાનિક ડોક્ટરને બતાવ્યું તો પેટમાં ટ્યૂમર હોવાની વાત સામે આવી હતી. ડોક્ટર્સે તેને હૈદરાબાદમાં ઓપરેશન કરાવવાની સલાહ આવી હતી. આ માટે ચાર લાખ રૂપિયાનો ખર્ચો થશે
અને ખેડૂત પાસે ચાર લાખ રૂપિયા પણ ન હતા એટલે તેને તમામ સગા સંબંધીઓ પાસે થી પૈસા ભેગા કરીને સારવાર અર્થે ભેગા કર્યા અને 2 લાખ રૂપિયા કોટનની બેગમાં મૂકીને તિજોરીમાં મૂકી દીધા જેમાં 500 ની નોટ હતી.

જ્યારે સારવાર માટે પૈસાની જરૂર પડી અને પૈસા બહાર કાઢ્યા અને તિજોરીમાં જોયું તો તેની ઉપર તો આભ ફાટી પડ્યું.તિજોરીમાં પડેલા 2 લાખ રૂપિયા ઉંદરોએ કતરી નાખ્યા હતા અને આ જોતા જ તેમણે પોતાની જીવવા ની આદત પણ મૂકી દીધી હતી.

આ વ્યક્તિ સાથે આવો બનાવ બનતાની સાથે જ તેમને જીવવાની આશા જ મૂકી દીધી હતી અને તેમને થયું કે હવે તે લાંબુ જીવી શકશે નહીં. ઉંદરોએ પૈસા કતરી ખાતા તે મહાબુદાબાદની અનેક બેંકના ચક્કર કાપી આવ્યો હતો
અને તમામ બેંકોનું કહેવું છે કે તેઓ આ નોટ બદલી શકે નહીં અને તેના માટે તમારે રિઝર્વ બેન્ક ઓફ બરોડા જ જવું પડે.

ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંકે થોડાં સમય પહેલાં ઓર્ડર આપ્યો છે કે જનતાની સડી ગયેલી, ખામીયુક્ત નોટો બદલી આપવામાં આવે. જોકે, આ ઓર્ડરમાં ઉંદરે પૈસા કતરી નાખ્યો હોય તે નોટો પણ બદલવી તેવો કોઈ ઉલ્લેખ નહોતો પરતું આત્યાં નાં મંત્રીને આ વાતની જાણ થતાં તેમને કહ્યુંકે
તેઓ તમામ રીતે મદદ કરવામાં આવશે અને તેમની સર્જરી પણ કરાવમાં આવશે.ખેડૂત પર ચિંતા ઓછી થઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!