ભજનસમ્રાટ નારાયણ સ્વામીને યાદ કરી રડી પડ્યા લોકપ્રિય કલાકાર ગોપાલ સાધુ ચાલુ ડાયરા મા ધૃસકે ધૃસકે રડી પડ્યા…જુઓ વિડીઓ
હાલમાં સોશિયલ મીડિયામાં ગોપાલ સાધુ (GopalSadhu)નો એક હદયસ્પર્શી વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયો જોઇને તમારી આંખમાં પણ આંસુઓ આવી જશે. .વાત જાણે એમ છે કે, ભજનસમ્રાટ નારાયણ સ્વામીને (Bhajan Samart Narayan Swami )યાદ કરી રડી પડ્યા લોકપ્રિય કલાકાર ગોપાલ સાધુ ચાલુ ડાયરા મા ધૃસકે ધૃસકે રડી પડ્યા હતા. ચાલો અમે આપને આ યાદગાર પળ વિશે વધુ વિગતવાર માહિતી જણાવીએ કે આખરે ગોપાલ સાધુએ ( Gopal Sadhu) શું કહ્યું.
અષાઢી બીજના ( AshadhiBij) શુભ અવસરે તોરણીયા ધામ ખાતે ભવ્ય લોકદાયરાનું આયોજન કરવામાં આ આવ્યું હતું અને આ લોકડાયારમાં તમામ લોકપ્રિય કલાકારોએ હાજરી આપી હતી. તોરણીયા ધામ એ કલાકારોને સફળતાની દિશા આપે છે, હાલમાં જ યુવા લોક ગાયક કલાકાર ગોપાલસાધુએ (Gopal sadhu) પણ તોરણીયા ધામના (Toraniya dham)હાજરી આપી હતી અને આ દરમિયાન તેમને ભજની રમઝટ બોલાવી હતી.
સ્ટેજ પર ભજન ગાતી વેળાએ ભજન સમ્રાટ નારાયણ સ્વામીની યાદ આવી જતા તેમણે કહ્યું કે ” બાપુ ની યાદ આવી ગઈ બીજું કાંઈ છે નહીં ભજન વિરલો હતો બાપ ” એટલે બોલતાની સાથે જ
ગોપાલ સાધુ ગળગળા થઈ ગયા હતા અને તેમની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી હતી.આ હદયસ્પર્શી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Social media viral video) થયો છે.
આ ભવ્ય લોકડાયરામાં મોટી સંખ્યામાં સાધુ-સંતો સહિતા આજુબાજુના ગામડાઓમાંથી લોકો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન ગોપાલ સાધુને બાપુની યાદ આવી પણ તેના પત્યેના ભાવનેઆંસુ રૂપે વ્હાવ્યા. આખરે ગોપાલ સાધુએ આસું લુંછીને નારાયણબાપુને યાદ કરીને ભજન ‘ચતુરાઈ હવે શું કરું કવિતા કરી નથી, ‘ગાયું હતું. આ ભજન સાંભળીને દરેક મંત્રમુગ્ધ થઈ ગયા હતા.