Gujarat

મોડાસાના નગરપાલિકાના કોર્પોરેટરશ્રી નું થયું રોડ અકસ્તમાતમાં નિધન! લોક કલ્યાણ અર્થે સદાય કાર્યરત રહેતા.

કહેવાય છે ને કે મુત્યુ ક્યારે આવે તે કોઈ નથી જાણતું. હાલમાં આગામી બે વર્ષોથી અનેક લોકો પોતાના સ્વજનો ગુમાવ્યા છે. કલાકારો, રાજનેતા અને સંતો મહાત્માને ગુમાવ્યા છે ત્યારે હાલમાં ફરી એકવાર ભાજપના લોકપ્રિય નેતાનું નિધન થતા પાર્ટીમાં શોકમય વાતાવરણ છવાઈ ગયુ છે.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, મોડાસા નગર પાલિકાના
કોર્પોરેટરનું રોડ અકસ્માતમાં નિધન થયું છે , દુઃખદ નિધનના કારણે પરિવારમાં શોકમય વાતાવરણ છવાઈ ગયું છે તેમજ તેમના વોર્ડના તમામ પ્રજાજનો ની આંખો નમઃ થઈ ગઈ હતી. સદાય લોકકલ્યાણ અર્થે કાર્યરત રહેતા મનોજભાઈનું જીવન એક પળમાં ઈશ્વરે હરિ લીધું. તેઓ સદાય લોક સેવામાં કાર્યરત હતા.

આ અકસ્માતમાં વિશે જાણવા મળ્યું છે કે,મોડાસા પાલિકાના ભાજપના કોર્પોરેટર અને મોડાસામાં મેઘરજ રોડ પર પુરષોત્તમ નગર સોસાયતીમાં રહેતા મનોજભાઈ ચંદુભાઈ રાઠોડ kલરકામ ના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. મંગળવારે મૃતક બાઇક નં. જીજે 31 સી 9062 લઈ શામળાજી તરફ કામકાજ અર્થે નીકળ્યા હતા.

દરમિયાન ટીંટોઈ પાસે ઇન્ડિયન પેટ્રોલપંપ પાસેથી પસાર થતા હતા. તે દરમિયાન વાહને મનોજભાઈની બાઈકને ટક્કર મારતાં ગંભીર ઈજાઓ પહોંચતાં કોર્પોરેટરને 108 દ્વારા મોડાસા ખસેડાતાં સારવામાં મોત થતાં જીગ્નેશભાઈ રાઠોડે મોડાસા પોલીસમાં અજાણ્યા ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધાવ્યો છે.ભગવાન તેમની દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!