સંજય રાવલે ખજુરભાઈ એટલે એ નીતીનભાઈ જાની વિશે કહી દીધી આ વાત
સુરતના જાણીતા મોટિવેશનર અને ઉધોગપતિ હાલમાં જ ખજૂરભાઈ વિશે ખાસ વાત કરી છે અને આ વાત તેમને પોતાના સોશિયલ મીડિયાનાં માધ્યમ થી કરી છે,જેમાં તેમણે ખજૂરભાઈના અત્યાર સુધીના જે સદ્દકાર્યો કર્યા છે તેની વાત કરી છે તેમજ આ 8 મિનિટનાં વીડિયોમાં તેઓ જે પણ કંઈ સંજયભાઈ વિશે બોલ્યાં છે તે બધી જ વાત એવી છે કે તમે સાંભળીને આશ્ર્ચર્ય પામશો.
વીડિયોની શરૂઆતમાં જ સંજય રાવલ કહે છે કે, હાલમાં જે નીતિન ભાઈ જે કાર્યો કરી રહ્યા છે તે ખૂબ જ પ્રેરણાદાયી છે અનેક લોકોની ટીકાઓ કરવા છતાં તેઓ પોતાનું કામ સતત ચાલુ રાખે છે અને ખરેખર ગુજરાતને નીતિન જાની જેવા લોકોની જરૂરત છે. સદાય નિઃસ્વાર્થ ભાવે લોકો ની મદદ કરે છે એ પણ માત્ર પૈસા થી નહિ પરતું પરિસ્થિતિ થી રુબરુ થાય છે તેમજ લોકોના દુઃખમાં ભાગીદાર બને છે.
આવા સદ્દકાર્યોમાં તો આપણે સૌ કોઈ ભાગીદાર બનીએ અને ફૂલ નહિ તો ફૂલની પાંખડી જરૂર આપીએ કારણ કે આ એક સેવાનું કાર્ય છે જેમાં આપણું યોગદાન અનેક લોકોના જીવનને અમૂલ્યવાં બનાવી શકીએ છે. નીતિન જાની નો સ્વભાવ એકદમ નિખાલસ અને ભાવભક્તિ વાળો છે જેઓ સદાય માતાજી પર આસ્થા રાખે છે, તેમની આ અવિરતપણે લોકો પ્રત્એની લોકભાવના અને તેમના દરેક સારા કાર્યો ખૂબ જ સરાહનીય છીએ.ચાલો આપણે સૌ કોઈ તેમનો સાથ આપીએ. આ પૂર્ણ વીડિયો તમે જોઈ શકો છો તેમના સંજય ભાઈ તમામ વાતો વિસ્તૃત પૂર્વક કહી છે.