એક્ટર સોનું સુદ ના ઘરે IT ડીપાર્ટમેન્ટ ટીમ પહોચી…
આજતક ના એક અહેવાલ મુજબ કોરોના કાળ મા અનેક લોકો ને મદદ કરનાર બોલીવુડ ના એક્ટર સોનુસુદ ના ઘરે IT ડીપાર્ટમેન્ટ ની ટીમ પહોંચી હતી. અને તેવો છ જગ્યાઓ પર સર્વે હાથ ધરી રહયા છે. પરંતુ હાલ સુધી કોઈ કારણ સામે નથી આવ્યુ.
ઇન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટ ને સોનુ સુદ સાથે જોડાયેલી છ જગ્યાઓ પર સર્વે હાથ ધર્યો છે. અને સોનુ સુદ સાથે જોડાયેલી અકાઉન્ટ બુક્સ, આવક, ખર્ચ અને નાણાકીય વ્યવહારો ની તપાસ ડીપાર્ટમેન્ટ દ્વારા કરવામા આવી રહી છે. આપણે સૌ જાણીએ છીએ કે કોરોના કાળ મા સોનુ સુદે હજારો લોકો ને મદદ કરી હતી. અને તેમની એક ચેરીટી સંસ્થા પણ ચાલી રહી છે જેનુ નામ સુદ ચેરીટી ફાઉન્ડેશન છે. આ એક એવી સંસ્થા છે જેમાં અલગ અલગ રીતે લોકો ને મદદ કરવામાં આવે છે. હાવ જ સોનુસુદે ગણપતી વિસર્જન પણ કર્યુ હતુ.
આ ઉપરાંત સોનુ સુદ એક નવુ કામ પણ ચાલુ કરવાનો છે. સોનુ સુદે કોરોના કાળ મા અનેક મજુરો ના પોતાના વતન પહોંચાડ્યા હતા. અને દેશ મા એક રીયલ હીરો તરીકે ઉભરી આવ્યા હતા. ત્યારે હવે ગામડા ના લોકો માટે એક આવક નુ સાધન મળી રહે તે માટે એક નવુ પ્લેટફોર્મ આપવા જઈ રહ્યો છે. જેનુ નામ ટ્રાવેલ યૂનીયન છે તેની વેબસાઈટ અને એપ બન્ને લોન્ચ ચરવામા આવી છે.
સોનુ સુદ થોડા દિવસ અગાવ દિલ્લી ના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ ને પણ મળ્યા હતા. જયા શિક્ષણ મંત્રી મનીષ સીસોદીયા પણ હાજર હતા. અને એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમા જાણવા મળ્યુ હતુ. કે એક મેંટર કાર્યક્રમ શરુ કરવાના છે અને જેના બ્રાંડ એમ્બેસેડર સોનુસુદ રહેશે.