સુરતના ટેક્સટાઈલ ગ્રુપે સેનામાંથી આવનાર જવાનોને 20થી 65હજારની નોકરી આપશે
આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં દેશભરમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી અગ્નિપથ યોજનાનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે સુરતના ટેક્સટાઈલ ગ્રુપે સેનામાંથી આવનાર જવાનોને 20થી 65હજારની નોકરી આપશે. ખરેખર આ કાર્ય ખૂબ જ સરહાનીય છે. એક તરફ લોકો અગ્નિપથ યોજાનો વિરોધ કરી રહ્યા છે, કારણ કે સેનામાં ચાર વર્ષ સુધી નોકરી કર્યા પછી જવાનોનું શું થાય? આ કારણે જ આ યોજાનો વિરોધ થઈ રહ્યો છે.
સુરત શહેરની ટેક્સટાઈલના વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ દ્વારા અગ્નિવીરો માટે એક સરહાનીય નિર્ણય લીધો છે.લક્ષ્મી હરી પ્રિન્ટસ ગ્રુપ દ્વારા અગ્નિવીરોને પોતાની છ ફર્મમાં સન્માનજનક કામ સાથે મહિને 20 હજારથી 65 હજારની નોકરી આપવાની જાહેરાત કરવામાં આવી છે. ખરેખર આ વાત ખૂબ જ સારી છે જેના થી જે લોકો દેશની સેવા અર્થે જવા માગે છે એ જવાનો જશે અને તેમના ભવિષ્યને પણ સુરક્ષિત કરશે.
ખાસ વાત છે કે, જે જવાનોને આ ફિલ્ડમાં જરૂરી બિઝનેસની ટ્રેનિંગ પણ ગ્રુપ દ્વારા સ્વખર્ચે આપવાની વાત કરવામાં આવી છે .જવાનોને આ ફિલ્ડમાં જરૂરી બિઝનેસની ટ્રેનિંગ પણ ગ્રુપ દ્વારા સ્વખર્ચે આપવાની વાત કરવામાં આવી છે.સમર્થન કરનારા વધુ હોય તેવું મારું માનવું છે. અમે અમુકો મોટા કોર્પોરેટસની જાહેરાત સાંભળ્યા બાદ અમને પણ સમર્થન કરવા માટેની ઈચ્છા થઈ હતી. જેથી અમે સમર્થન કરવા માટે અગ્નિવીરોને અમારે ત્યાં કામ આપવા માટેની યોજના બનાવી છે અને તેમનું માનવું છે કે, આ કાર્યમાં અન્ય ગ્રુપ જોડાઈ જશે.
કંપનીમાં ત એકાઉન્ટ, સેલ્સ,માર્કેટિંગ, ટ્રેડિંગ તથા ડિઝાઈનિંગ સહિતના કામ હોય છે. જવાનો જે કામમાં પારંગત હોય અથવા જે કામ કરી શકે તેમ હોય તે ક્ષેત્રમાં કામ આપવામાં આવશે. ન માત્ર કામ પરંતુ તેમને યોગ્ય તાલિમ પણ આપવામાં આવશે. જવાનોને બિઝનેસને લગતી તાલિમનો ખર્ચ પણ ગ્રુપ દ્વારા જ ઉઠાવવામાં આવશે.
ગ્રુપ દ્વારા હાલ તેમને ત્યાં કામ કરતાં કર્મચારીઓને 20 હજારથી લઈને 65 હજાર સુધીનો પગાર આપવામાં આવે છે. ત્યારે અગ્નિવીરોને પણ એ જ ધારાધોરણો પ્રમાણે પગાર આપવામાં આવશે. પ્રથમ પ્રાથમિકતા સુરત અને ત્યારબાદ આસપાસના વિસ્તાર અને ગુજરાતનાં જવાને આપી શકાશે, જેથી તમામ જવાનો ને સન્માનજનક નોકરી મળી રહે.