એક મહીલા ને કારણે 42 વર્ષ સુધી આ ભુતીયા રેલ્વે સ્ટેશન બંધ રહ્યુ અને પછી…
આપણા ભારતમાં જેવી અતૂટ આસ્થા છે એટલો જ અતૂટ અધશ્રદ્ધા પણ છે. એવું જરૂર નથી આ જગતમાં દૈવિય શક્તિ પણ છે અને દૈત્ય શક્તિ પણ.આપણે સૌ કોઈ જાણીએ છે કે, અનેક એવી જગ્યા ઓ હોય જે ઘણા સમયથી શ્રાપિત હોય છે અને ભૂતિયા બંગલો કે અથવા અનેક અને માત્ર આ એક ડરને કારણે, રેલવે સેવાઓ પણ 42 વર્ષ સુધી ત્યાં બંધ છે, તો બાબત સામાન્ય કરતાં વધુ વિશેષ બની જાય છે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, પશ્ચિમ બંગાળ રાજ્યમાં સ્થિત એક રેલવે સ્ટેશન વિશે વાત કરી રહ્યા છીએ, જેનું નામ રેલવે રેકોર્ડ્સમાં ભૂતિયા સ્ટેશન તરીકે નોંધાયેલું છે. પ.બંગાળની રાજધાની કોલકાતાથી લગભગ 260 કિમીના અંતરે આવેલા બેગનકોદર સ્ટેશનનો ડર આજે પણ લોકોમાં જોવા મળે છે.
આ તદ્દન એક અનોખી ઘટના છે જેમાં વર્ષ 1962 માં બનાવવામાં આવ્યું હતું 1967 માં, અહીંના સ્ટેશન માસ્તરે એક મહિલાને સફેદ સાડી પહેરેલી જોઈ. આશ્ચર્યજનક બાબત એ હતી કે આ ઘટનાના થોડા સમય બાદ સ્ટેશન માસ્તરનું કોઈ કારણસર મૃત્યુ થયું હતું. બસ પછી તો વાત ચગી ગઈ કે આ ભૂતિયા સ્થાન છે.
ડર ના કારણે આ સ્ટેશનને બંધ કરવાની ફરજ પડી. પરિસ્થિતિ લગભગ ચાર દાયકા સુધી સમાન રહી.વર્ષ 2009 માં મમતા બેનર્જી રેલવે મંત્રી હતા ત્યારે આ સ્ટેશન 42 વર્ષ પછી ફરી ખોલવામાં આવ્યું હતું. સપ્ટેમ્બર 2009 માં, રાંચી-હટિયા એક્સપ્રેસનો પ્રથમ હોલ્ટ અહીં નક્કી કરવામાં આવ્યો હતો, જેના કારણે આ વિસ્તારના લોકોનો ભય અમુક અંશે ઓછો થયો હતો પરતું કહેવાય છે ને ક્યાટેક કોઈ રહસ્યનો ઉકેલ જ નથી હોતો.