Gujarat

જસદણના વેપારીએ ઝેરી ટીકાડા ખાઈ જીવન ટુકાવ્યું , સ્યુસાઈડ નોટ મા ચોંકાવનારી વિગતો સામે આવી

વ્યાજખોરોના ત્રાસ થી અનેક પરીવારો બરબાદ થય ગયા છે. અને ઘણા એવા લોકો છે જેમણે આત્મહત્યા કરી લીધી હોય ત્યારે ફરી એક એવી ઘટના સામે આવી છે જેમાં એક વેપારી ને આત્મ હત્યા કરવી પડી છે. રાજકોટ જિલ્લાના વિરપુરના પીઠડીયા ગામ પાસે ગઇકાલ બની હતી. જેમા જસદણના વેપારી ભીખુભાઇ મોલીયા પીઠડિયા ગામે આવીને ઝેરી ટીકડા ખાઈને પોતાનો જીવ આપી દીધો અને તેનું કુટુંબ નોધારું થઇ ગયું છે.

એક રીપોર્ટ મુજબ રાજકોટ જિલ્લાનાં વિરપુર પાસેના પીઠડીયા પાસેથી એક પ્રૌઢનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે તપાસ મા સામે આવ્યુ હતુ કે ઝેરી ટીકડાછે ખાઈ ને આત્મહત્યા કરી છે. અને મૃતક નુ નામ ભીખુભાઈ મોલીયા નામ સામે આવ્યુ હતુ. અને તેમની પાસે થી એક સ્યુસાઈડ નોટ પણ મળી હતી અને તેમા જણાવ્યું હતુ કે શામાટે કારણોસર આત્મ હત્યા કરી છે.

સ્યુસાઈડ મા આ ઘટના મા જાણવા મળ્યુ હતુ કે જસદણમાં દુકાન ચલાવીને ભીખુભાઇ મોલિયા પોતાનું ગુજરાન ચલાવતા હતા. અને મૃતક ભીખુભાઈ એ 3-4 વર્ષ પહેલા આરોપી દિલીપ ગોવિંદ ચાંવુ પાસેથી 8 લાખ રુપીયા વ્યાજે લીધા હતા અને બદલામા કોરા ચેક પણ આપ્યા હતા.જયારે મૃતક ભીખુભાઇએ આ તમામ રૂપિયા વ્યાજ સાથે પરત કરી દીધા હતા. આમ છતાં આરોપી દિલીપ ભીખુભાઇને સતત ડરાવતો અને ધમકાવતો અને ભીખુભાઇએ તેની પાસેથી 40 લાખ રૂપિયા લીધા છે તેવું કહીને તે પરત આપવા માટે દબાણ કરતો હતો.

આ ઉપરાંત દિલીપે ભીખુભાઇનો કોરો ચેક બેન્કમાં જમા કરાવીને બાઉન્સ કરાવ્યો હતો અને ફરીથી આ મુદ્દે તેને ભીખુભાઇને ટોર્ચર કરવાના પણ આરોપ લાગ્યા છે અને દિલીપના ત્રાસથી ભીખુભાઇ છેલ્લા 8 વર્ષથી નાસતા ફરતા હતા અને અલગ અલગ શહેરોમાં છૂપાયને રહેતા હતા. આ અસહ્ય ત્રાસ સહન ન થતા ભીખુભાઇએ ઝેરી ટીકડા ખાઈને મોતને વ્હાલું કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!