Gujarat

ભાજપનો નાનામાં નાનો કાર્યકર્તા પણ પોતાને નરેન્દ્ર મોદી માને છે. : ગોપાલ ઈટાલીયા

આમ આદમી પાર્ટી ગુજરાત મા પગ પેસારો કર્યો છે અને આપ ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા હંમેશા આક્રમક મુડ મા જ હોય છે અને અવનવા નીવેદનો ની ચર્ચા મા હોય છે. સુરત ના મેયર ના બંગલા ની બાબત મા ગોપાલ ઈટાલીયા એ ફરી એવુ જ નીવેદન આપ્યુ છે.

મેયરના બંગલા બાબતે આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, ભાજપના નેતા વર્ષોથી છે, તેમને પૂછવા વાળું કોઈ નથી. તેઓ પોતે એવું માને છે અમને કહેવા વાળુ કોઈ નથી. સુરતમાં જનતાએ આમ આદમી પાર્ટીને વિરોધ પક્ષ તરીકેની જવાબદારી સોંપી છે. આ જવાબદારી આમ આદમી પાર્ટીએ પહેલા દિવસથી લઈને આજના દિવસ સુધી ઈમાનદારીથી નિભાવી છે.

તેમને વધુમાં જણાવ્યું હતું કે, મેયરની નાની ઓફિસ બનાવી હોત તો આપણે ખુશ હોત કે, મેયરની ઓફિસ બની છે. મેયરને ગાડી આપવામાં આવે તો પણ કોઇ વાંધો નથી. અને આવડા મોટા ખર્ચાઓ અને એની પાછળની પણ એક સાયકોલોજી છે. ગુજરાતમાં વર્ષોથી ભાજપની સરકાર હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખૂબ જ પ્રભાવ ગુજરાત અને દેશ પર રહ્યો છે. આજે ભાજપનો નાનામાં નાનો કાર્યકર્તા પણ પોતાને નરેન્દ્ર મોદી માને છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 80 હજાર કરોડનું વિમાન લે. 2300 કરોડ રૂપિયાનું પોતાનું મકાન બનાવે. વિજય રૂપાણી 8000 કરોડનું પોતાનો વિમાન લે. એટલે તેમની નીચેના અધિકારીઓ અને પદાધિકારીઓ માને છે કે આપણે પણ આવો રાજા પાઠ કરવાનો છે. એટલે પોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોવાના ભ્રમમાં પ્રજાના પૈસે આવડા મોટા ખર્ચા કરે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!