વધુ એક માતા પિતા ની કરુણતા સામે આવી ! મારા દિકરા ને બચાવી લો ભલે મને
આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં જ વિવાન અને ધૈર્યરાજ બાદ આયંશ નામનો બાળક પણ SMA ની બીમારી થી પીડાઈ રહ્યો છે, ત્યારે તેમના પરિવાર દ્વારા અનેક વખત મુખ્યમંત્રી શ્રી મુલાકાત અર્થે ગયેલ પરતું તે શક્ય જ ન બન્યું ત્યારે ખરેખર આ પરિવાર માટે હાલનો સમય ખૂબ જ વિકટ પરિસ્થિતિ મા પસાર થઈ રહ્યો છે ત્યારે હાલમાં જ જાણવા મળ્યું તે જાણીને તમારી આંખો માંથી આંસુઓ વહેવા લાગશે.
આ બાળકના પિતા એ સોશિયલ મીડિયાના માધ્યમ થી પોતાની આપવીતી પણ જણાવી છે અને કહ્યું છે કે 10 વર્ષે પહેલા મારા ભાઈ સાથે જે થયું તે ન થવું જોઈએ કારણ કે ત્યારે અમે બધું જ ગુમાવી દીધુ હતું અને આજનો સમય એવો આવ્યો છે, કે આજે અમારે અમારા દીકરાનો જીવ બચાવવા માટે ગમે તે કરવા તૈયાર છે. અને જો મારા પાસે એટલા પૈસા જ હોત તો હું શું કામ મુખ્યમંત્રી શ્રી અને અન્યવ્યક્તિઓ પાસે મદદ માંગુ? આપ મદદ કરો ના કે અફવા ફેલાવો. હાલમાં સમયમાં બાળક મોત સામે લડી રહ્યો છે ત્યારે સૌ મદદ કરવા ની જરૂર છે.પિતા એ પણ કહ્યું કે,હું ખોટો હોય તો સરકાર મારી સંપત્તિ વેંચી ને મને જેલમાં નાંખી દે.
આ પહેલા આ પરિવારમાં 2017માં તેમના બાળક નું આજ બીમારીના કારણે નિધન થયું હતું અને હવે ફરી એકવાર હું મારા દીકરાને ખોવા નથી માગતો. ખરેખર હાલના સમયમાં આ પરિવાર ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં થી પસાર થઈ રહ્યા છે. હાલમાં તેમની આર્થિક સ્થિતિ સારી નથી એટલે લોકો સમક્ષ મદદ માંગવામાં આવી રહી છે. તમામ વાત કહેતી વખતે માતાપિતાની આંખોમાં આંસુઓ રોકાયા ના હતા. ખરેખર આજના સમયમાં આવી હાલત થવી એ પણ આપણી સરકાર હોવા છતાં ત્યારે સામાન્ય માણસ 16 કરોડ ક્યાંથી લાવે? આપણે સૌ કોઈ પ્રાર્થના કરીએ જલ્દી થી આ બાળક સ્વસ્થ થઈ જાય.