Gujarat

અમદાવાદમા નાનાભાઈ એ જ મોટા ભાઇની કરપીણ હત્યા કરી નાખી ! હત્યા કર્યા બાદ એવુ કર્યુ કે…

હાલ ના સમય મા દેશ મા ચારે કોર દીવાળી ના તહેવાર ની ધામધૂમ થી તૈયારી ચાલી રહી છે તો બીજી બાજુ રાજ્ય મા ગુનાહિત પ્રવૃતિઓ ઓછી થવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે વધુ એક ચકચાર મચાવી દે તેવી ઘટના અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તાર મા બની હતી જેમા નાના ભાઈ એ મોટાભાઈ પર છરી વડે હુમલો કરી મોત ને ઘાટ ઉતારી દીધો હતો જ્યારે ભાભી ને પમ ઘણી ઈજાઓ પહોંચાડી હતી.

જો ઘટના અંગે વિગતવાર વાત કરવા મા આવે તો નવરંગપુરામાં સરદાર પટેલ સ્ટેડિયમ પાસેની કમલા સોસાયટીમાં નરેશ હેમવાણી તેની પત્ની દીશા અને નાનો ભાઈ સુનિલ રહે છે જયારે નરેશ હેમવાણી અમદાવાદ શહેર ના કાલુપુરમાં પ્લાસ્ટિકની આઈટમો વેપાર કરે છે જ્યારે છેલ્લા થોડા સમય થી બન્ને ભાઈઓ વચ્ચે મિલકત ને લઈ ને મનદુખ ચાલી રહ્યુ હતુ જ્યારે ગઈ કાલે સાંજે બન્ને ભાઈઓ વચ્ચે રોડ પર જ જગડો થયો હતો.

જ્યારે આ જગડો ઘર સુધી પહોચ્યો હતો અને ઉગ્ર બોલાચાલી થઇ હતો જેમા નાનાભાઈ સુનિલએ ઘર ના દરવાજા પાસે થી ધારદાર હથિયાર કાઢી મોટાભાઈ સુનિલ ને ઉપરા છાપરી 13 જેટલા ઘા માર્યા હતા. જ્યારે નરેશભાઇ ની પત્ની દીશાબેન વચ્ચે આવતા તેને પણ ધારદાર હથિયાર થી ઈજાઓ પહોંચાડી હતી જ્યાર બાદ સુનીલે પોતે પણ પોતાના શરીર પર ચાકુના ઘા મારી દેતાં તે પણ ઘાયલ થયો હતો.

આ ઘટના મા નરેશભાઈ નુ મોત થયુ હતુ જ્યારે નાના ભાઈ સુનિલ ગંભીર ઈજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે અને નરેશભાઇ ની પત્ની દીશાબેન ને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.પોલીસે આ ઘટનામાં હત્યા અને હત્યાની કોશિષ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!