Health

બદામની છાલ ઉતારી ને ખાવાથી થશે એ મહત્વનો ફાયદો.

આપણે ત્યાં કહેવાય છે ને કે, બુદ્ધિ વધારવા અને યાદશક્તિ માટે બદામનું ખાસ સેવન કરવામાં આવે  છે, ત્યારે આજે આપણે જાણીશું કે બદામનું સેવન કંઈ રીતે કરવું ખૂબ જ ફાયદાકારક રહેશે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ વધુ સેવન કરવું જોઈએ અને આજે જાણી લો કંઈ રીતે સેવન કરવું લાભદાયક.

બદામમાં અનેક વિટામીન અને મિનરલ્સ હોય છે. બદામ વિટામીન ઈ, ઝિંક, કેલ્શિયમ, મેગ્નેશિયમ, અને ઓમેગા 3 ફેટી એસિડનો ઉત્તમ સ્ત્રોત છે. આ તમામ પોષક તત્વોનો પૂરેપૂરો ફાયદો શરીરને મળી શકે તે માટે બદામને રાતે પલાળીને ને છાલ ઉતારીને ખાવી.બદામને પલાળ્યા બાદ છાલ ઉતારીને જ ખાશો તો લોહીમાં પિત્તનું પ્રમાણ વધી જશે. સૌથી સારી રીત એ છે કે બદામને હુંફાળા પાણીમાં આખી રાત પલાળીને સવારે છાલ ઉતારીને ખાવી. કદાચ આ જ કારણે આયુર્વેદમાં બદામને પલાળીને ખાવાની વાત કરાઈ છે.  બદામની છાલમાં ટેનિન હોય છે. જે પોષક તત્વોને એબ્ઝોર્બ થતા રોકે છે. જ્યારે તમે બદામ પલાળો છો તો છાલ સરળતાથી નીકળી જાય છે અને પછી બદામના તમામ ફાયદા શરીરને મળી શકે છે. 

બદામ પલાળીને ખાવના છે અનેક ફાયદા -બદામને પલાળીને ખાવાથી શરીરને અનેક ફાયદા મળે છે. પાચનમાં મદદ મળે છે, હાર્ટ સારું રહે છે. વજન ઓછું કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે એન્ટી ઓક્સિડન્ટથી પણ ભરપૂર હોય છે. દીવસભરમાં તમે 10 બદામ ખાઈ શકો છો. પરંતુ ખાલી પેટે ફક્ત બદામ ખાવાથી બચવું જોઈએ. જો પેટ ખાલી હોય તો સલાડ, શાક અને ફળ સાથે બદામ ખાઈ શકાય છે.  ખાલી પેટે બદામ ખાવાથી પિત્ત વધે છે. પાચન સંબંધિત સમસ્યાઓ પણ ઊભી થાય છે. પલાળેલી અને કાચી બદામ ખાવી એ ફક્ત ટેસ્ટ માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખુબ ફાયદાકારક છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!