મને હેરાન કરનાર બચવા ના જોઈએ, 35 વર્ષ ના યુવકે આપઘાત કરતા પહેલા સ્યુસાઈડ નોટ મા જાણાવી આ વાત
ખરેખર હાલમાં જ્યાર થી લોકડાઉન પડ્યું ત્યાર થી લઈને અત્યાર સુધી અનેક લોકો બેકારી અને પૈસા ની કમિના લીધે અનેક વેપારીઓ એ આપઘાત કર્યા છે. સૌથી વધારે તો દેવું નાં બોજ હેઠળ અનેક વ્યક્તિઓને આત્મહત્યા કરવા મજબૂર બન્યા અને પોતાનું હસતું રમતું જીવન બરબાદ કરી નાખ્યું છે. હાલમાં જ એક બનાવ બન્યો જેમાં એક યુવકે આત્મહત્યા કરી. કારણ એટલુ જ હતું કે વ્યાજ ખોરોનો ત્રાસ વધી ગયો હતો. મરતા પહેલા એક નોટ લખીને ગયો જેમાં કહ્યું કે, મને હેરાન કરનાર બચવા ના જોઈએ, નહિ તો હું પ્રેત બનીને ભટકીશ. ચાલો અમે આપને આ ઘટના વિશે વધુ માહિતગાર કરીએ.
મુત્યુ થનાર યુવક ની ઉંમર 35 વર્ષ હતી અને તે નડિયાદ નો રહેવાસી હતો. કલ્પેશ જયંતિ મકવાણા નામના યુવકે ગઈકાલે સવારે પોતાના ઘરમાં પંખા સાથે લટકી જઈ જિંદગી ટૂંકાવી લીધી છે. આ અંગે તેની બહેન રેખાબેને નડિયાદ પશ્ચિમ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને લાશનો કબ્જો લઇ પીએમ માટે મોકલ્યો છે. મૃતદેવું વધી જતાં તેણે આ પગલું ભર્યું હોવાનું રેખાબેન એ પોલીસમાં જણાવ્યું છે. નો રહેવાસી હતો. કલ્પેશ જયંતિ મકવાણા નામના યુવકે ગઈકાલે સવારે પોતાના ઘરમાં પંખા સાથે લટકી જઈ જિંદગી ટૂંકાવી લીધી છે. આ અંગે તેની બહેન રેખાબેને નડિયાદ પશ્ચિમ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને લાશનો કબ્જો લઇ પીએમ માટે મોકલ્યો છે. મૃતદેવું વધી જતાં તેણે આ પગલું ભર્યું હોવાનું રેખાબેન એ પોલીસમાં જણાવ્યું છે.
વ્યાજના વટાવનાં ધંધામાં ફસાઈ જતાં યુવકે આપઘાત કરી દીધો છે. મૃતકે આ પહેલા સ્યુસાઇડ નોટ લખતાં મામલો સામે આવ્યો છે. ચોક્કસ વ્યક્તિઓને ટાર્ગેટ કરી જણાવ્યું હતું કે, ત્રણ દિવસનું 10 હજારનું 3 હજાર વ્યાજ લે છે. આ તમામની પથારી ફેરવશો અને જેલમાંથી પણ આ લોકો કદી છુટવા જોઈએ નહી અને જો છુટશે તો હું કલ્પેશ મર્યા પછી પણ સજા આપીશ અને તેમને ચાર વ્યક્તિઓના નામ જણાવ્યા.
પોલીસે આ સ્યુસાઇડ નોટ કબ્જે કરી આ બાબતે કાર્યવાહી કરી છે.પોલીસસૂત્રો તરફથી મળતી માહિતી મુજબ મૃતક યુવાન પોતે ડિવોર્સી હતો તેમજ ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. સાથે સાથે ત્રણ બહેનો વચ્ચે એકનો એક લાડકવાયો ભાઈ હતો. યુવકનું મુત્યુ થતા પરિવાર જનોમાં શોકમય વાતાવરણમાં છવાઇ ગયેલ. ખરેખર જીવનમાં એક વાત યાદ રાખવી કે, ક્યારેય પણ વ્યાજ વટાવનાં ધંધામાં ન ઝપલાવવું.