Religious

આજીવન બ્રહ્મચર્યનું પાલન કરનાર હનુમાનજી એક પુત્ર હતો! જાણો કંઇ રીતે હનુમાન પીતા બન્યા.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, હનુમાનજી આજીવન બ્રહ્મચારી રહ્યા છે, પરતું પુરાણોમાં હનુમાનજીના એક પુત્રનો પણ ઉલ્લેખ આવે છે, ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે આ પુત્રની માતા કોણ છે. આપણે સૌ કોઇ જાણીએ છે કે, રામાયણ દરમિયાન ક્યાંય પણ હનુમાનજીના વિવાહનો ઉલ્લેખ નથી આવતો પરતું છતાં તેઓનો પુત્ર કઇ રીતે હોય? ચાલો હનુમાનજી નાં પુત્રમાં જન્મની રોચક વાત જાણીએ.

વાલ્મીકી રામાયણ માં આવેલા એક પ્રસંગ ની અનુસાર જયારે હનુમાન રાવણ ની લંકા સળગાવી રહ્યો હતો તો એને અત્યંત પરસેવો આવી રહ્યો હતો. ખુદ ની પૂંછ માં લાગેલી આગ ને ઠારવા માટે હનુમાનજી એ સમુદ્ર માં છલાંગ મારી અને એના શરીર થી પરસેવાનું એક ટીપું સમુદ્રમાં એક મોટી માછલી એ લઇ લીધું. આ ટીપું એ મત્સ્ય દેવી ના પેટ માં હનુમાન ના પુત્ર નો જન્મ નું કારણ બની. એક વાર લંકા ના અસુરો એ આ માછલી ને પકડી લીધી અને આ કાપતા સમયે એને પુત્રપ્રાપ્ત થયો. રાવણ ના પુત્ર અહિરાવણ એ એને પાતાળ લોક ના રક્ષક જાહેર કરી દીધો. માછલી ના પેટ થી ઉત્પન્ન થવાના કારણે આ પુત્ર નું નામ મકરધ્વજ રાખવામાં આવ્યું.

પછી સમય વીતી ગયા પછી જયારે રામ અને રાવણ નું યુદ્ધ થયું ત્યારે એમની માયાથી અહિરાવણ એ રામ ને મૂર્છિત કરી પાતાળ લોક માં બંદી બનાવી લીધા. હનુમાન એ એની રક્ષા માટે પાતાળપૂરી સુધી જતા રહ્યા જ્યાં એનું યુદ્ધ એના જ પુત્ર અને દ્વારપાલ મકરધ્વજ ની સાથે થયું. હનુમાન એ એને પરાસ્ત કરી રામ લક્ષ્મણ ને મુક્ત કરાવ્યા. હનુમાનજી પંચમુખી રૂપ ધારણ કરી અહિરાવણ નું વધ કર્યું. જતા જતા શ્રી રામ એ હનુમાન ના પુત્ર ને પાતાળ લોક ના રાજા નિયુક્ત કરી દીધા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!