જીગ્નેશ કવીરાજ રાજકારણ ઝંપલાવશે ! જાણો કઈ પાર્ટી માથી ચુંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે
એક તરફ વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ ગઈ છે અને અનેક પાર્ટીઓ દ્વારા ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે તેમજ અન્ય પાર્ટીઓ દ્વારા કોને ટિકિટ આપવી તે અંગે વિચારણાઓ ચાલી રહી છે. હાલમાં જ એક સૌથી ચોંકાવનારી અને મહત્વની ખબર સામે આવી છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર કવીરાજ જીગ્નેશ બારોટ રાજકરણમાં એન્ટ્રી કરી રહ્યા છે. તમારા મનમાં એ પ્રશ્ન થઇ કે કઈ પાર્ટીમાંથી કવિરાજ ચૂંટણી લડશે? ચાલો અમે આપણે જણાવીએ કે શા માટે જીગ્નેશ બારોટ ચૂંટણીમાં ઝ્મલાવ્યું છે.
કવિરાજની રાજકરણમાં એન્ટ્રી થતા અનેક પાર્ટીઓ માટે ચિંતાનો વિષય બની ગયો છે કારણ કે, મહેસાણા જિલ્લામાં પણ વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. કઈ બેઠક પર કોને ટિકિટ મળશે તેને લઈને ચારેકોર ચર્ચા જામી છે. ત્યારે ખેરાલુની બેઠક પર કવિરાજે ચૂંટણી લડવાનું મન બનાવી લીધું છે. આ વાત અંગે જાણવા મળ્યું છે કે, દિવ્યભાસ્કરના અહેવાલો મુજબ આ વાત જાણવા મળી છે. ત્યારે હવે એ જોવાનું રહ્યું કે જીગ્નેશ કઈ પાર્ટીમાંથી ચૂંટણી લડશે.
હાલમાં તો લોકગાયક જિજ્ઞેશ કવિરાજે મીડિયા સમક્ષ જણાવ્યું છે કે, થોડા સમયમાં અપક્ષમાંથી ફોર્મ ભરૂ છું. મારા ખેરાલું વિસ્તારના લોકો અગ્રણીઓ અને મારા ચાહકોની ખૂબ લાગણી હતી કે હું પણ ચૂંટણી લડું. તેઓ મને કહેતા કે, તમે ચૂંટણી લડો અને ગામનો વિકાસ કરો, જેથી મેં સમય આવશે ત્યારે આ બાબતે વિચારી એવું નક્કી કર્યું હતું. ત્યારે હવે મારો સમય આવી ગયો છે મને પેલા મારા ગામે સ્વીકાર્યો અને આજુબાજુના ગામના લોકોએ સ્વીકાર્યો હતો જેથી મને એવું થયું કે હું મારા ગામનો ઉપયોગી થાવ.
જિજ્ઞેશ કવિરાજએ કહ્યું કે, ખેરાલુમાં વિકાસ થયો નથી. ખેરાલુ પંથકમાં ઉદ્યોગ જ નથી, રોજગારી માટે આજુબાજુ ગામના લોકોને બહાર જવું પડે છે. ગામના લોકો અહિંજ નોકરી કરી શકે એવો કોઈ ઉદ્યોગ જ નથી. તેમજ રોડ રસ્તાની સમસ્યા, પાણી, ગટરની સમસ્યા પણ છે. બેથી ત્રણ દિવસે પાણી આવતું હોય છે, ગટર લાઈનની પણ મોટી સમસ્યા છે.ચૂંટણી લડવી તે મારો વિષય જ નથી મારો વિષય ગાવાનો છે. પણ ખેરાલુના ચાહકો અગ્રણીઓએ મને ચૂંટણી લડવા માટે કહ્યું હતું. જેથી મે ચૂંટણી લડવાનો વિચાર કર્યો છે. મારા ગામ માટે મારા વતન માટે હું કઈક કરવા માગું છું. મને ખુબ વિશ્વાસ છે ખેરાલુ પર. લોકોનો મને ખુબ પ્રેમ મળ્યો છે અને આશીર્વાદ મળ્યા છે, તેમજ હજું પણ આવો જ પ્રેમ અને આશીર્વાદ મળશે.
સૌથી ખાસ વાત એ છે કે, જીગ્નેશ કવિરાજે એક ખાસ વાત એ પણ જણાવી છે કે, હાલમાં તેઓ અપક્ષમાંથી ચૂંટણી લડશે પરંતું જો કોઈ પાર્ટીની ઓફર આવશે તો તે અંગે વીશે વીચારણા કરશે, હાલમાં અપક્ષમાંથી ચૂંટણી લડવાનું પસંદ કર્યું છે પણ જો ગામનું સારું થશે અને મારી વિચાર ધારા પ્રમાણે હશે તો જરૂર થી કોઈ પાર્ટી અંગે જોડાવવા વિચારશે પરંતું હાલ કોઈ પક્ષ સાથે જોડાયેલ નથી અને જોડાશે પણ નહીં. આપણે જાણીએ છે કે અનેક કલાકારો રાજનીતિમાં સક્રિય પણ છે અને લોકોએ તેમને મત આપીને વિજય બનાવ્યા છે, ત્યારે હવે જોવાનું રહ્યું કે કવિરાજ ચૂંટણી જીતે છે કે નહીં અને કઈ પાર્ટી તેમને ઓફર આપી શકે છે.