Entertainment

મલ્હાર ઠક્કર કેમ આમ કર્યુ??

આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતી સિનેમા જો ફરી બેઠુ થયુ હોય તો એ બે મુવી થી થયુ હતુ પહેલુ મુવી બે યાર અને બીજું મુવી છેલ્લો દિવસ બન્ને મુવીએ થીયેટર મા ધમાલ મચાવી દીધી હતી અને ગુજરાતી સિનેમા ફરી બેઠુ થયું હતુ. જ્યારે નરેશ કનોડીયા ના સમય મા પણ સૌથી વધુ બોલબાલા ગુજરાતી સિનેમાની હતી.

ત્યારે ગુજરાતી સિનેમાના હાલ ના કરાકારો પણ ઘણા ફેમસ થયા જે જેમા મલ્હાર ઠક્કર અને પ્રતીક ગાંધી જેવા કલાકરો છે. અરબ ગુજરાતી ફીલ્મ મા ભલે મલ્હાર ઠક્કર નુ નામ હાલ મોખરે લેવાય છે પરંતુ તેનું મીડીયા સામેનુ વર્તન યોગ્ય નથી લાગતું સામાન્ય રીતે મલ્હાર ઠક્કર એક જેન્ટલમેન હિરોની ગણતરી મા આવે છે પરંતુ મંગળવારે સુરત ની મુલાકાતે આવ્યા ત્યારે મીડીયા વાળા લોકો ને રાહ જોવડાવી જતા રહ્યા હતા.

મલ્હાર ઠક્કર મંગળવારે સુરત આવવાના હોય એ અગાવ જાણકારી આપવામા આવી હતી. એટલા માટે મીડીયા કર્મી ઈન્ટરવ્યુ લેવા માટે પહોંચી ગયા હતા. પરંતુ મંગળવારે સવારે અચાનક કાર્યક્રમ બદલી નાંખવામાં આવ્યો હતો. પછી મલ્હારની ટીમે ફોન કરીને જાણ કરી કે તમારે સાંજે હોટલ પર આવવું પડશે. મીડિયાવાળા હોટલ પર પહોંચી ગયા.

જ્યારે મીડીયા કર્મીઓ એ સતત બે કલાંક રાહ જોઈ હતી અને ત્યાર બાદ મલ્હાર ની ટીમ ના કોઈ એ આવી ને કીધું કે સોરી કહી દેજો હાલ ઈન્ટરવ્યુ નહી આપી શકાય. ત્યારે મીડીયા કર્મી ઓને આવી રીતે રાહ જોવડાવી જતા રહ્યા હતા. મલ્હાર નુ આ વર્તન યોગ્ય નહોતુ લાગ્યુ.

હવે વાત કરીએ પ્રતીક ગાંધીનીતો પ્રતીક ગાંધી અને મલ્હાર ઠક્કર મા પ્રતીક ગાંધી ટુક જ સમય મા આખળ નીકળી ગયો છે scam 1992 વેબ સીરીઝ બાદ પ્રતીક ગાંધીની લોક પ્રિયતા સતત વધી છે. અને મલ્હારની ફિલ્મ ધૂંઆધારનું ટ્રેલર જે 3 અઠવાડિયા પહેલા રીલીઝ થયું હતું તેને યુ ટ્યૂબ પર માત્ર 7 જ લાખ લોકોએ જોયું છે જ્યારે પ્રતીકની આવનારી ફિલ્મ ભવાઇનું એક અઠવાડિયા પહેલા રીલીઝ થયેલું ટ્રેલર 60 લાખથી વધુ લોકોએ જોઇ લીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!