મોરબી હોનારતને લઈને ઓરેવા ગ્રુપના મેનેજરે શરમજનક નિવેદન આપ્યું! કહ્યું કે ” ભગવાનની ઇચ્છાથી…..
આપણે જાણીએ છે કે, મોરબી ઝુલતા પુલ હોનાતનાં લીધે અનેક લોકોએ જીવ ગુમાવ્યા. આ ઘટના અંગે પોલીસે સ્થાનિક કોર્ટમાં તેમનું નિવેદન નોંધાવ્યું હતું. અધિકારી અને મોરબીના નાયબ પોલીસ અધિક્ષક પીએ ઝાલાએ કોર્ટને જણાવ્યું હતું કે ઝુલતા પુલના વાયર પર કાટ લાગી ગયો હતો અને જો તેનું સમારકામ કરવામાં આવ્યું હોત તો અકસ્માત ન થયો હોત. હવે આ ઘટનામાં ઓરેવા ગ્રુપમાં મેનેજરે ચોંકાવનારુ નિવેદન આપ્યું છે.
સ ઓરેવા કંપનીના મેનેજર સહિત નવ પૈકીના એક દીપક પારેખે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને એડિશનલ સિનિયર સિવિલ જજ એમ.જે. ખાનને જણાવ્યું કે આવી કમનસીબ ઘટના બની તે ભગવાનની ઈચ્છા હતી. આ દુર્ઘટનાનું કારણ એ છે કે, બ્રિજ વાયર પર હતો અને તેના પર ઓઇલિંગ કે ગ્રીસિંગ કરવામાં આવ્યું ન હતું.” જ્યાં વાયરો તુટી ગયા હતા ત્યાં કાટ લાગી ગયો હતો. જો વાયરિંગનું સમારકામ થયું હોત તો અકસ્માત સર્જાયો ન હોત. શું કામ થયું અને કેવી રીતે થયું તેનો કોઈ દસ્તાવેજ રાખવામાં આવ્યો ન હતો. જે સામગ્રી ખરીદવામાં આવી હતી, તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તેની તપાસ કરવાની બાકી છે.
સરકારી વકીલ એચએસ પંચાલે કહ્યું કે અત્યાર સુધીની તપાસ દર્શાવે છે કે કોન્ટ્રાક્ટર લાયક એન્જિનિયર ન હતો અને તેણે રિપેરિંગનું કામ કર્યું ન હતું. એલ્યુમિનિયમના પાટિયાના કારણે પુલ તૂટી પડયો હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. સુરેન્દ્રનગરના વકીલ જી.કે. રાવલે કોર્ટને જણાવ્યું હતું કે બ્રિજની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં પારેખની કોઈ ભૂમિકા નથી. પારેખે જજને કહ્યું કે તે ગ્રાફિક ડિઝાઈનનું કામ જોઈ રહ્યો છે અને કંપનીમાં મીડિયા મેનેજર છે.
પારેખે કહ્યું, “કંપનીના મેનેજિંગ ડિરેક્ટરથી લઈને નીચલા સ્તરના કર્મચારીઓ સુધી, બધાએ ઘણું કામ કર્યું પરંતુ ભગવાનની ઈચ્છા હતી કે આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની.” ફરિયાદીઓએ જણાવ્યું હતું કે ઓરેવાના બે મેનેજર પુલના સમારકામ અને જાળવણી સંબંધિત કોન્ટ્રાક્ટની દેખરેખની જવાબદારી સંભાળતા હતા અને સમારકામના કામમાં સામેલ હતા. બચાવ પક્ષના વકીલે જણાવ્યું હતું કે બ્રિજની ફિટનેસની ખાતરી કરવામાં બંને સંચાલકોની કોઈ ભૂમિકા નથી.
આ પુલ દુર્ઘટના સંદર્ભે એક ચોંકાવનારો પત્ર પણ બહાર આવ્યો છે. ઓરવા કંપની દ્વારા જાન્યુઆરી, 2020માં મોરબી જિલ્લા કલેક્ટરને એક પત્ર લખવામાં આવ્યો હતો, જે દર્શાવે છે કે બ્રિજના કોન્ટ્રાક્ટને લઈને કંપની અને જિલ્લા વહીવટીતંત્ર વચ્ચે લડાઈ ચાલી રહી હતી. ઓરેવા ગ્રૂપ પુલની જાળવણી માટે કાયમી કોન્ટ્રાક્ટ ઇચ્છતું હતું. જૂથે કહ્યું હતું કે જ્યાં સુધી તેઓને કાયમી કોન્ટ્રાક્ટ આપવામાં ન આવે ત્યાં સુધી તેઓ પુલ પર કામચલાઉ સમારકામ કરવાનું ચાલુ રાખશે. તે એમ પણ જણાવે છે કે ઓરેવા ફર્મ બ્રિજના સમારકામ માટે સામગ્રી મંગાવશે નહીં અને તેમની માંગ પૂરી થયા પછી જ તેઓ કામ પૂર્ણ કરશે.