નીરજ ચોપડા પોતાની બાયોપીક ફિલ્મ મા આ બે હીરો ને જોવા માંગે છે.
જયાર થી નીરજ ચોપડા એ ગોલ્ડ મેડલ જીત્યો છે ત્યાર થી એ દેશ નો હીરો બની ગયો છે અને નીરજ ચોપડા માટે ઈનામો નો વરસાદ પણ થયો છે. આ ઉપરાંત તેના instragram ફોલોવર ની સંખ્યા ની વાત કરીએ તો તેમાં લાખો મા વધારો થયો છે. પહેલા 2 લાખ ફોલોવર હતા એ આજે 30 લાખ એ પહોચવા આવ્યા છે આ ઉપરાંત તના પર મુવી પણ બની શકે છે.
લોકો સોસિયલ મીડીયા પર એવી ઈચ્છા વ્યકત કરી રહયા છે કે નીરજ ના જીવન અને સફળતા પર એક ફીલ્મ બને જેથી લાખો યુવાનો ને પ્રેરણા મળે આ ઉપરાંત લોકો સોસિયલ મીડીયા પર મીમ પણ શેર કરી રહયા છે અને અક્ષય કુમાર ને troll કરી રહ્યા છે. કે નીરજ ના જીવન પર એ મુવી બનાવશે.
જો નીરજ ની વાત કરવામા આવે તો તેની પર્સનાલીટી કોઈ હીરો થી કમ નથી. ત્યારે નીરજે ખુદ 2018 મા આ બાબતે ઈન્ટરવ્યુ મા ખુલાસો કરેલો છે. ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના સમાચાર મુજબ નીરજે વર્ષ 2018માં જ્યારે સહેજ પણ જાણીતો નહોતો ત્યારે તેમે એક ઇન્ટરવ્યૂમાં આ ઈચ્છા દર્શાવી હતી. નીરજે કહ્યું હતું કે જો તેના જીવન પર કોઈ બાયોપિક બને તો તે અક્ષય કુમાર અથવા તો રણદીપ હુડાને અભિનેતા તરીકે જોવા મળે છે.
હવે એ બાબત તો ત્યારે જ સામે આવશે કે નીરજ ની બાયોપીક બનશે કે કેમ અને બનશે તો હીરો કોણ હશે??? આ અગાવ પણ અનેક રમતવીરો પર ફીલ્મ બની છે અને ખાસ કરી ને એમ એસ ધોની જેવી ફીલ્મ ને ઘણી સફળતા મળી છે અને જેમા સુશાંતસિંહ રાજપૂતે કામ કરેલું હતુ જે હાલ દુનીયા મા નથી