સુરતમાં બે વ્યક્તિનાં જીવથી 7 લોકોને નવું જીવનદાન મળ્યું! અંગદાન થકી પરિવારે માનવતા દેખાળી
સુરતમાં બે વ્યક્તિનાં જીવથી 7 લોકોને નવું જીવનદાન મળ્યું! અંગદાન થકી પરિવારે માનવતા દેખાળી.ખરેખર સૂરત શહેર એટલે જીવદયા પ્રેમી શહેર! સુરત શહેર અંગદાનમાં ખૂબ જ મોખરે છે. આ વાત તો આપણે સૌ કોઈ જાણીએ છે. ત્યારે હાલમાં જ એક એવી ઘટના બની જેના લીધે સૌ કોઈ તેના વખાણ કરી રહ્યા છે. આ ઘટના ખૂબ જ સરહાનીય છે.વાત જાણે એમ છે કે, વાગડ વિશા ઓસવાળ સમાજ તેમજ લેઉવા પટેલ સમાજના બ્રેઇન ડેડ વિરેન્દ્રભાઈઆયા ખીમજીભાઈ દેઢિયા અને જમનભાઈ પોપટભાઈ ગોંડલીયાના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી તેમના હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવુંજીવન આપી માનવતાની મહેક ફેલાવી છે
57 વર્ષીય વિરેન્દ્રભાઈ ખીમજીભાઈ દેઢિયા વલસાડમાં ડીલક્ષ ઝેરોક્ષ સેન્ટરના નામથી સ્ટેશનરી અને ઝેરોક્ષની દુકાન ચલાવતા હતા. ગત 14 સપ્ટેમ્બરના રોજ સવારે વિરેન્દ્રભાઈને એકા-એક બ્લડપ્રેસર વધી જવાથી લકવાની અસર જણાતા પરિવારજનોએ તેમને તાત્કાલિક વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થતા પરિવારજનોએ તેમને વધુ સારવાર માટે સુરતની કિરણ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી હતી
કિરણ હોસ્પિટલના ડોક્ટરોએ વિરેન્દ્રભાઈ અને જમનભાઈને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા. કિરણ હોસ્પિટલના ડો.મેહુલ પંચાલ અને ડોનેટ લાઈફની ટીમે બંને પરિવારોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા નિદાન માટે સિટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ તેમજ મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું.
સુરતથી ચેન્નઈનું 1610 કિમીનું અંતર 180 મિનિટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ આસામના રહેવાસી 39 વર્ષીય ખેડૂતમાં ચેન્નઈની MGM હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે.
બંનેની 2 કિડની, 2 લિવર, 1 હૃદય અને 2 ચક્ષુઓનું દાન કરાવવામાં આવ્યું હતું જેનાથી 7 વ્યક્તિઓને નવુંજીવન મળ્યું છે.
સુરતની કિરણ હોસ્પિટલથી ચેન્નઈનું 1610 કિમીનું અંતર 180 મિનિટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ચેન્નઈની MGM હોસ્પિટલમાં આસામના રહેવાસી 39 વર્ષીય ખેડૂતમાં કરવામાં આવ્યું છે. આ યુવક 2019થી હૃદયની બીમારીથી પીડાતો હતો અને છેલ્લા મહિનામાં તેના હૃદયનું પમ્પિંગ 5%થી 10% જેટલું થઇ ગયું હતું. દાનમાં મેળવવામાં આવેલા એક લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ભિલોડા, સાબરકાંઠાના રહેવાસી 46 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં અને બીજા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના રહેવાસી 59 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની IKDRC હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે.
દાનમાં મેળવવામાં આવેલી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ વડોદરાના રહેવાસી 13 વર્ષીય બાળકમાં અમદાવાદની IKDRCમાં અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ બરોડાના રહેવાસી 29 વર્ષીય યુવકમાં સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. ખરેખર આ ઘટના ખૂબ જ સરહાનીય છે અને ખરેખર અત્યાર સુધીમાં અનેક વખત સુરત અંગ દામમાં અગ્રેસર રહ્યું છે, ત્યારે ફરી એક વખત અનેક લોકોને નવ જીવન મળ્યું.