Gujarat

જાનૈયાઓ ને અકસ્માત નડ્યો એક જ ગામ ના પાંચ લોકો ના મોત થયા, જેમાથી બે સગા ભાઈ હતા

ઉત્તર પ્રદેશ ના જૌનપુર મા એક મોટો અકસ્માત થયો છે જેમાં જાનૈયાઓથી ભરેલી કાર એક ટ્રક સાથે ટક્કરાતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા છે. આ ઉત્તરપ્રદેશના જૌનપુર જિલ્લાના જલાલપોર પોલીસ સ્ટેશન વિસ્તારના ત્રિલોચન મકરા બાયપાસ નજીક મંગળવારે સવારે થયો હતો

મંગળવારે થયેલા આ અકસ્માત મા એક જ ગામ ના 5 લોકો ના મૃત્યુ થયા હતા. જેમા થી બે સગાભાઈ હતા અને બાકીના ઈજાગ્રસ્ત લોકો ને હોસ્પીટલ મા ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના ત્યારે બની જયારે છ વાગ્યે જલાલપોર પોલીસ સ્ટેશન વિસ્તારના મકરા બાયપાસ ત્રિલોચન પાસે પહોંચયા હતા અને જૌનપુર બાજુથી વારાણસી તરફ જઇ રહેલી ટ્રક અને કાર ની ટકકર થઈ હતી આ અકસ્માતમાં નાનકળ, હૌસલ પ્રસાદ મિશ્રા, અનુગ્રહ પ્રતાપસિંહ, છોટુ સિંહ અને પ્રભુ દેવસિંહનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

આ અકસ્માત નુ કારણ એવુ સામે આવ્યુ છે કે ડ્રાઈવર ને ઉંઘ ની જપકી આવી ગઈ હોવાથી આ આ અકસ્માત થયો હતો .આ અકસ્માતને લઈ રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે દુ:ખ વ્યક્ત કર્યું છે. મુખ્યપ્રધાને વરિષ્ઠ અધિકારીઓને સ્થળ પર રહીને શક્ય બને તેટલા લોકોની મદદ કરવા સૂચના આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!