આંબાલાલ પટેલ વરસાદ લઈને કરી મોટી આગાહી , 20 જુલાઈ પછી ખેડૂતો માટે કરી આ મોટી વાત…
હાલમાં ગુજરાત રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે, હજુ તો અષાઢ માસ શરૂ થયા નાં ત્રણ દિવસ થયા છે, ત્યાં સુધીમાં જ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ ગુજરાતનાં ચોમાસાને લઈને મહત્વની આગાહી કરી છે, ત્યારે ચાલો આપણે જાણીએ કે આખરે કંઈ રીતે વરસાદની ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે ત્યારે હવે આગામી સમયમાં ચોમાસુ કેવું રહેશે અને થોડા દિવસ વરસાદનો કહેર કેવો રહેશે જણાવ્યું.
વાત જાણે એમ છે કે, આંબાલાલ પટેલ હજુ તો અષાઢી બીજ નાં આગાઉમા દિવસે કહ્યું હતું કે જુલાઈમાં શરૂઆતમાં દિવસોમાં ભારે વરસાદ થશે અને આખરે સર્વે ગુજરાતમાં શહેરોમાં વરસાદ આવી રહ્યો છે ત્યારે આંબાલાલ પટેલનાં કહેવા મુજબ 20 જુલાઈ થી સૂર્ય પુષ્પકક્ષય મા પ્રવેશ કરશે અને 20 જુલાઈ પછી અતિવૃષ્ટિ થઈ શકે છે તેમજ ખાસ કરીને હાલના સમયમાં તો દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.
આંબાલાલ પટેલ એ પણ ખાસ જણાવ્યું કે હાલમાં કચ્છનાં તમામ વિસ્તારાઓમાં ભારે વરસાદ થશે તેમજ અનેક પંથકોમાં વરસાદની ભારે આગાહી છે ત્યારે ખેડૂતો માટે આ વર્ષ સારું નીવડી શકે છે પરતું 20 જુલાઈ પછી ઉત્તર, મધ્ય અને સૌરાષ્ટ્ર પ્રદેશના વિસ્તરમાં ભારે વરસાદ થશે અને જે કૃષિ માટે લાભદાયક હશે જેથી ખેડૂતો માટે આ વર્ષ સારું જઇ શકે છે.આમ જોઈ તો હાલમાં તો દરિયા કાંઠે વધુ વરસાદ થશે ત્યારે માછીમારો ખાસ ધ્યાન રાખવું જોઈએ.આંબાલાલ જે આગાહી કરે છે સદાય સત્ય જ હોય છે તેમનો આ અનુભવ ખરેખર આપના માટે આર્શિવાદરૂપ છે.